________________
છ૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ તેને કદી જવાને કે તેની નીચેથી સરી જવાને બદલે, તેને દેખ્યા વિના તેમાં પડતું જ નાખે છે, અને એમ પિતાના જ અજ્ઞાને કરીને ફસાય છે, તેમજ આ મિથ્યાવાદી મૂર્ખ લોકેનું છે. સાચા ધર્મશાનથી તેઓ ગભરાઈને ભાગે છે, ને જ્યાં ભયસ્થાન છે, એવી અનેકવિધ પ્રવૃત્તિઓ, તેમાં નિર્ભય વિચરે છે. પ્રવૃત્તિઓનાં પ્રેરનારાં લેભ, માન, માયા ને ક્રોધનો ત્યાગ કરીને માણસ કર્મબંધથી છૂટી શકે. પરંતુ આ મૂઢ વાદીએ પેલા મૃગની પેઠે, એ જ નથી જાણુતા અને આ સંસારજાળમાં ફસાઈ વારંવાર જન્મ ને મરે છે. [૬–૧૩]
કેટલાક બ્રાહ્મણે ને શ્રમણે વળી એવા છે કે, તે એમ જ માની બેઠા છે કે, “જ્ઞાન તે અમારી પાસે જ છે, બીજા તે બિચારા કાંઈ નથી જાણતા.' પરંતુ એમનું જ્ઞાન એટલે શું ? પરંપરાથી ઊતરી આવેલી તત્ત્વની વાત તે પિપટની પેઠે બોલે છે એ જ. એના પર પછી એ અજ્ઞાની લેકે તે દેડાવે છે. પણ તેથી તે કાંઈ જ્ઞાન મળતું હશે ? અને પોતે જ જ્યાં એવા અપંગ છે, ત્યાં તેઓ બીજાને તે શું જ આપી શકવાના હતા ? આમ આંધળાનું ગાડું કુટાયા કરે છે. નથી તેઓ બીજા પાસેથી સાચું જ્ઞાન લેતા, કે નથી ઘમંડમાં પિતાનું જ જ્ઞાન પૂરું માની હાંક્ય રાખવાનું છેડતા. પોતાનાં કલ્પના – સોની પ્રશંસા ને પારકાનાં વચનની નિંદા એ લેકે છોડતા જ નથી. પરિણામે પાંજરાના પક્ષી પેઠે તેઓ બંધાયેલા જ રહે છે. [૧૪–૨૩]
૧. મૂળ : સર્વાસ રચુરઝર્ષ, ધૂમ, ચપ્પત્તિર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org