________________
૭૩
જુદા જુદા વાદે અને વળી, આ બધા જ વાદીઓ પ્રતિજ્ઞા કરે છે કે, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી, જે કેાઈ અમારા સિદ્ધાંતનું શરણ લેશે, તે સર્વ દુઃખોમાંથી છૂટશે.” [૧૯].
હું તને કહું છું કે, આ બધા વાદીઓને નથી ખબર સાચા જ્ઞાનની, કે નથી ભાન સાચા ધર્મનું. પરિણામે તેઓ આ સંસારસાગર નથી તરી શકતા; અને જરા-મરણવ્યાધિ-પૂર્ણ આ સંસારચક્રમાં આંટા ખાતા દુઃખ ભોગવ્યા જ કરે છે. જ્ઞાતપુત્ર જિનેશ્વર મહાવીરે કહ્યું છે કે, તે બધા લેકે સારીનરસી એનિઓમાં ભમતા અનેક વાર જન્મશે ને મરશે. [૨૦–૨૧]
વળી કેટલાક જાણવા જેવા મિથ્યાવાદો તને કહું. કેટલાક દૈવમાં માનનારા નિયતિવાદીઓ કહે છે : “જીવો છે, તેમને સુખદુઃખને અનુભવ થાય છે, તથા છેવટે તે સ્થાનભ્રષ્ટ થઈ નાશ પામે છે. આ તે બધા રવીકારશે. હવે જે સુખદુઃખાદિ છે, તે કોઈ જીવનાં જાતે કર્યા થતાં નથી. એ તે દેવાનિયત છે.” અને આવી વાત કરી, તે પોતાને પંડિત માની બીજીય અનેક દુષ્ટ કલ્પનાઓ દોડાવે છે; ને તે મુજબ ઉન્માર્ગે આચરણ કરી કરીને, દુઃખમાંથી છૂટી શકતા જ નથી. એ ઘમંડી લકને એટલું જ્ઞાન નથી કે, સુખદુઃખમાં તો દૈવ તેમજ પુરુષાર્થ બેઉ કારણો સંકળાયેલાં હોય છે. [૧-૫
- આ બધા લેકેની દશા કોના જેવી છે? શિકારીના ભયથી ભાગતું હરણ જેમ અભય સ્થાનમાં ભય પામે છે, ને ભયવાળાંમાં નીડર રહે છે, તથા જ્યાં જાળ હોય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org