________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ પામે છે; અને જુદી જુદી યોનિઓમાં સ્થાવર કે જંગમરૂપે જન્મી, પિતાનાં દુષ્કર્મોનું ફળ ભોગવતાં, (પોતે જે રીતે અન્ય જીવોને નાશ કર્યો હોય તે રીતે, કે બીજી રીતે) વિનાશ પામ્યા કરે છે. [૧-૮]
વળી તે લેકેની મૂઢતાને પણ શું કહેવું? સવારસાંજ અગ્નિ સળગાવવાથી કે ધૂણી તાપવાથી જે મેક્ષ મળતું હેય, તે લુહાર વગેરેને તે પાકા સિદ્ધ કહેવા જોઈએ ! [૧૮]
વળી કેટલાક મૂઢ લેકે એમ કહે કે છે કે, મીઠાને ત્યાગ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તે લકે મીઠું તે છોડે છે; પણ મધ, માંસ અને લસણ તે આરોગ્યા જ કરે છે ! જેમની બુદ્ધિ આમ છેક મંદ બની ગઈ છે, તેવા તે લેકે મેક્ષને બદલે તેથી ઊલટી જ ગતિ પિતાને માટે તૈયાર કરે છે. [૧૨-૧૩]
વળી બીજા કેટલાક એમ માને છે કે, ઠંડા પાણીથી (સવારસાંજ નાહવાધોવાથી) મોક્ષ પ્રાપ્ત થાય છે. સવારસાંજ પાણીમાં નાહ્યા કરવાથી જે મોક્ષ પ્રાપ્ત થતું હોય, તો પાણુમાં રહેનાર માછલાં વગેરે જળચર પ્રાણીઓને તો મોક્ષ તરત જ પ્રાપ્ત થઈ જાય ! પાણીથી જે પાપકર્મો જોવાઈ જતાં હોય, તો પુણ્યકર્મો પણ સાથે ધેવાઈ ન જાય વાર! આમ એ લોકેના સિદ્ધાંતે વગર વિચાર્યું ઉપજાવેલા છે. તે પ્રમાણે સિદ્ધિ મળે જ નહિ; ઊલટું તે અજ્ઞાનીઓ વિવિધ પ્રકારે અગ્નિ, પાણી વગેરે જીવોની હિંસા કરીને, સંસારને જ પામ્યા કરે છે. પોતાના સુખને ખાતર બીજાની હિંસા કરનારે મુકત ક્યાંથી થાય? માટે બુદ્ધિમાન મનુષ્ય તે
૧. મૂળઃ આહારસંપન્જનન – “આહારમાં રસ (સંપત્તિ)
લાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org