________________
અધ્યયન ૭ મું
અધર્મીઓનું વર્ણન શ્રી સુધર્મસ્વામી કહેવા લાગ્યા :
કેટલાક લેકે ગૃહસંસારનો ત્યાગ કરી, સંન્યાસી થઈ અગ્નિ સળગાવ્યા કરે છે અને માને છે કે, તે (યજ્ઞાદિકથી કે ધૂણી તાપ્યા કરવા)થી મેક્ષ મળશે. પરંતુ તેથી તે તેઓ અને કરીને માત્ર ભયંકર હિંસા જ રળે છે. એમને ભાન નથી કે, અંડજ, જરાયુજ, સ્વેદજ અને રસજ વગેરે જંગમ પ્રાણની પેઠે પૃથ્વી, પાણું, અગ્નિ અને વાયુ તથા તૃણ, વૃક્ષ અને બીજ વગેરેમાં પણ સ્વતંત્ર જીવો છે. એટલે, અગ્નિ સળગાવતાં અશ્ચિના, પૃથ્વીના, તથા બીજા આજુબાજુ ઊડતા ધાણું જ નાશ પામે છે. છાણ વગેરેમાં તથા લાકડાંમાં રહેતા જીવો પણ અગ્નિ સળગાવતાં નાશ પામે છે. આમ, તે મૂઢ મનુએ પોતાના સુખ ખાતર, અનેક જીવને નાશ કરી, પાપકર્મ બાંધી, મુક્ત થવાને બદલે સંસારને જ
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org