________________
૧૮૬ મહાવીરસ્વામીને સંયમ ધર્મ થયેલું છે, સંયમરહિત છે, મેક્ષમાર્ગથી વિરુદ્ધ છે, સર્વ દુઃખોનો ક્ષય કરવાના માર્ગથી વિરુદ્ધ છે. અત્યંત મિથ્યા છે, તથા અયોગ્ય છે.
હવે હું ધર્મરૂપી દ્વિતીય સ્થાનનું વિવરણ કરું છું તે સાંભળો.
આ જગતમાં સર્વત્ર કેટલાય મનુષ્યો પિતા પોતાનાં કર્મો અનુસાર વિવિધ કુળોમાં વિવિધ ઐશ્વર્ય સહિત જમ્યા હોય છે. તેમને નાનાં મોટાં ઘર, તથા ખેતર અને થોડા અથવા વધારે નોકરચાકર હોય છે. તેવી સ્થિતિમાં જન્મ પામીને પણ કેટલાક તે બધા પદાર્થોને દુ:ખરૂપ જોઈ, સાચી તથા કાયમની શાંતિ પ્રાપ્ત કરવાને અર્થે ભિક્ષાચર્યા ગ્રહણ કરે છે; સગુરુ પાસેથી મહાપુરુષોએ કહેલો ધર્મ જાણી, તેમાં પ્રયત્નપૂર્વક પ્રવૃત્ત થાય છે; અને સર્વ પાપસ્થાનેથી નિવૃત્ત થઈ તથા સર્વ શુભ સાધનસંપત્તિ પ્રાપ્ત કરી, સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
આ ધર્મસ્થાન આર્ય છે, શુદ્ધ છે. . . મેક્ષ માર્ગને અનુકૂળ છે તથા સર્વ દુઃખોને ક્ષય કરવાના માર્ગરૂપ હોઈ અત્યંત ચોગ્ય છે.
હે વત્સ, કેટલાક લેકે બાહ્યતઃ ધર્મસ્થાનમાં લાગતા છતાં અધર્મસ્થાન સેવતા એવા મિશ્રસ્થાની હોય છે. તેઓ તાપસ અથવા સાધુઓ બની, અરણ્યમાં, આશ્રમમાં કે ગામ બહાર રહી, કાંઈ ને કાંઈ ગુપ્ત ક્રિયાઓ કે સાધનાઓ કરે છે. પરંતુ તેઓ ખાસ સંયમી નથી હોતા કે સર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org