________________
રરર મહાવીરસ્વામીને સંયમધમ અનેક ભિક્ષુઓને એકઠા કરી, ધર્મોપદેશ આપવા નીકળે છે. આમ, તે અસ્થિર માણસે પિતાની આજીવિકા ઊભી કરી છે. તેનું અત્યારનું આચરણ તેની પ્રથમના આચરણથી વિરુદ્ધ છે. [૧-૩]
આદ્રક પૂર્વે, અત્યારે કે ભવિષ્યમાં તેમનું એકલાપણું કાયમ છે. સંસારનું સંપૂર્ણ સ્વરૂપ સમજી, સ્થાવરજંગમ પ્રાણીઓના કલ્યાણ માટે હજારોની વચ્ચે ધર્મોપદેશ કરનાર, એકાંત જ સાધી રહ્યો હોય છે. કારણ કે, તેની આંતર વૃત્તિ સમાન જ હોય છે. જે કાઈ શ્રમણ પિતે ક્ષાંત, દાંત, જિકિય, તથા વાણીના ગુણદોષ જાણનારો હોય, તે ધર્મોપદેશ આપવા માત્રથી તેને કશે દોષ લાગતો નથી. જે ભિક્ષુ મહાવ્રત, અણવતે, કર્મ દાખલ થવાનાં પાંચ દ્વારે તેમજ તેમને દાખલ થતાં અટકાવનાર સંવરેર તથા વિરતિ વગેરે શ્રમણધર્મોને જાણીને, કર્મના લેશથી પણ દૂર રહે છે, તેને હું શ્રમણ કહું છું. [૪-૬]
ગોશાલક અમારા સિદ્ધાંત પ્રમાણે ઠંડું પાણી પીવામાં, બીજ વગેરે ધાન્ય ખાવામાં, પિતાને માટે તૈયાર કરેલો આહાર ખાવામાં તેમજ સ્ત્રીઓ જોગવવામાં એકલા વિચરનાર તપસ્વીને પાપ લાગતું નથી. [૭]
૧. મૂળ : આસ્રવ. જુઓ પા. ૮૧ ટિ. ૪. પાંચ આવો તે હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય, ચૌર્ય અને પરિગ્રહ.
૨. જુઓ પા. ૮૧ ટિવ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org