________________
ઉપદ્યાત પકુધ કાયન પણ બુદ્ધને કંઈક અંશે સમકાલીન હતો. પ્રશ્નોપનિષદમાં કબધી કાત્યાયનો ઉલ્લેખ છે. કબધી અને કકુદ એ બંને શબ્દો એક જ શારીરિક બેડના વાચક છે. બુદ્ધિષ જણાવે છે કે, તે ઠંડુ પાણી કદી નહેાતે પીતે, ગરમ પાણી જ પીત; તેમજ તેના અનુયાયીઓ પણ તપસ્વી જીવન ગાળનારા હતા. એના વાદને શાશ્વતવાદ અથવા અનWવાદ કહેવામાં આવે છે. સૂત્રકૃતાંગ ૧. ૧. ૧. ૧૫ – ૬ માં વર્ણવેલા વાદને વેણીમાધવ બરુઆ ? પકુધ ઉચ્ચાયનના વાદ તરીકે જણાવે છે. જો કે તેમાં આત્મા સાથે છ પદાર્થ માનનાર વાદીનું વર્ણન છે. ઉપનિષદોના, “આત્માને મારી શકાતો નથી, છેદી શકાતો નથી” (કૌશી. ૩. ૮; કઠ. 1. ૨. ૧૮ – ૨૫) એ સિદ્ધાંતને જરાક આગળ લઈ જઈએ, એટલે આ વાદ જ આવીને ઉભો રહે છે.
૩. અછત કેસકબા એને સિદ્ધાંત નાસ્તિક, ચાર્વાક કે લોકાતિક મતને જ મળતો આવે છે. આ વાદ દરેક કાળમાં કોઈને કોઈ સ્વરૂપે અસ્તિત્વમાં હોય જ છે. એ વાદને ભૂતવાદ પણ કહી શકાય. જગતના મૂળ કારણ તરીકે જડ ભૂત અને તેમની જડ શકિતઓ સિવાય બીજું કાંઈ ન સ્વીકારવું એ ભૂતવાદનું મુખ્ય લક્ષણ હોય છે. એક સામાન્ય વલણમાંથી વ્યવસ્થિત દર્શનનું સ્વરૂપ લેતાં આ વાદને વાર ન લાગે. કૌટિલ્ય તે પિતાના અર્થશાસ્ત્રમાં લોકાયત દર્શનને એક સ્વતંત્ર દર્શન તરીકે સ્થાન આપે છે. જે સમયે કોઈ બે તત્ત્વો નાનામાં નાની એકાદ વાત વિષે
૧. પ્રીબુદ્ધિસ્ટીક ઈન્ડિયન ફિલોસેફ, પા. ૨૮૧ – ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org