SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મહાવીરસ્વામીને સંયમ ધર્મ પૂરણ કરૂપ ઈ. સ. પૂર્વે પ૭ર માં મરણ પામ્યો એમ કહેવાય છે. એટલે તે અમુક અંશે બુદ્ધને સમકાલીન જ કહેવાય. સામગ્ગાફલ સુત્ત ( દીધનિકાય) માં તેના વાદને અક્રિયાવાદ કહેવામાં આવ્યો છે. સૂત્રકૃતાંગ ૧. ૧. ૧. ૧૩ માં તેના વાદ જેવો જ વાદ આવે છે. ટીકાકાર તેને અકારક વાદ કહે છે. આત્મા પોતાના મૂળ સ્વરૂપે નિષ્ક્રિય છે, તથા પાપપુણ્યથી પર છે એવા ઉપનિષદના વાદને અંતિમ હદે લઈ જવામાં આવે, તો આ જ વાદ આવીને ઊભો રહે. બૌદ્ધ સાહિત્યમાં પૂરણ કસપને “અચેલક” એટલે નગ્ન તપસ્વી તથા મેટા શિષ્યવૃંદના નાયક અને દેશભરમાં પ્રસિદ્ધ એવા તીર્થકર તરીકે વર્ણવવામાં આવ્યો છે. ૨. પફધ કચ્ચાયન : તેને સિદ્ધાંત આ પ્રમાણે વર્ણવવામાં આવ્યું છે: આ જગત સાત પદાર્થોનું બનેલું છે અને તે પદાર્થોને કઈ પણ કારણથી વિનાશ નથી. તે સાત પદાર્થો કોઈએ કરેલા કે કરાવેલા, અથવા નિર્માણ કરેલા કે કરાવેલા નથી; તેઓ વંધ્ય, કૂટસ્થ અને સ્તંભ જેવા અચલ છે. તે હાલતા નથી, બદલાતા નથી, એક બીજાને ત્રાસદાયક થતા નથી કે એક બીજાનું સુખ કે દુઃખ અથવા બને ઉત્પન્ન કરી શકતા નથી. તે સાત પદાર્થો નીચે મુજબ છે : પૃથ્વી, આપ, તેજ, વાયુ, સુખ, દુ:ખ અને જીવ. આ સાતને મારનાર, મરાવનાર, સાંભળનાર, કહેનાર, જાણનાર અથવા વર્ણન કરનાર કેઈ પણ નથી. જે તીણ શસ્ત્ર વડે કોઈનું ડોકું કાપે છે, તે કેઈનું પણ જીવિત હરણ કરતો નથી. માત્ર આ સાત પદાર્થોની વચલી જગામાં શસ્ત્રોએ પ્રવેશ કર્યો એટલું જ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy