________________
મહાવીર સ્વામીને સંયમ ધર્મ માણસ પિતાને માટે કે પિતાનાં માટે ચોરી કરે કે કરાવે, તે તે અદત્તાદાનપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય.
(૮) અધ્યાત્મપયિક -- એટલે કે, ફેધાદિ દૂષિત મનવૃત્તિઓરૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કોઈ માણસ ક્રોધ, માન, માયા કે લેભ એ ચારમાંથી કોઈ એકાદ કે એ ચારે દુષ્ટ મનોવૃત્તિઓ યુક્ત બની, કોઈએ દૂભવ્યા ન હોવા છતાં, હીન, દીન, દ્વેષયુક્ત, ખિન્ન તથા અસ્વસ્થ બની, શોકસાગરમાં ડૂબી જઈ, હથેળી ઉપર માથું ટેકવી, ચિંતામગ્ન થઈ બેઠે બેઠે દુષ્ટ વિચાર કર્યા કરે, તો તે અધ્યાત્મપત્યયિક ક્રિયાસ્થાન કહેવાય.
(૯) માનપ્રત્યયિક – એટલે કે, માન–અહંકારરૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કોઈ પુરુષ પિતાનાં જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ, ઐશ્વર્ય કે, પ્રજ્ઞા વગેરેને કારણે મદમત્ત થઈ, બીજાની અવહેલા કે તિરસ્કાર કરે, અને પિતાની બડાઈ કરે, તે તે માનપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય. તે મનુષ્ય ઘણો દૂર, અક્કડ, ચપળ અને અભિમાની હોય છે. તે મર્યા બાદ એક એનિમાંથી બીજી યોનિમાં તથા એક નરકમાંથી બીજા નરકમાં ભટક્યા કરે છે.
(૧૦) મિત્રદોષપ્રત્યયિક એટલે કે, સગાંસંબંધીઓ પ્રત્યે વિનાકારણ કે હદબહાર કૂરતારૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. કોઈ માણસ પોતાનાં માતપિતા, ભાઈબહેન, ભાર્યા, પુત્ર-પુત્રી અને પુત્રવધૂ વગેરે સાથે રહેતો હોય; તે તેમના નાના સરખા વાંક માટે પણ તેમને ગમે તેવી કારમી સજા કરે : જેમકે, તેમને ઠંડા પાણીમાં ડબોળે કે તેમના ઉપર ગરમ ગરમ પાણી રેડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org