________________
- તેર ક્વિાસ્થાને
૧૭૭ અથવા કોઈ માણસ ધાન્યના ખેતરમાંથી નકામું ઘાસ નીંદવા જાય અને અજાણતાં મૂળ ધાન્યના છોડને જ કાપી નાખે, તો તે અકસ્માદંડ પ્રત્યાયિક ક્રિયાસ્થાન કહેવાય.
(૫) દષ્ટિવર્યા દંડ પ્રત્યયિક – એટલે કે, નજરચૂકથી થયેલા પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કઈ પુરુષ સગાંવહાલાં સાથે કઈ ગામ કે નગરમાં રહેતે હેય. તેવે વખતે અચાનક તે ગામ કે નગરમાં કાંઈક દરેડ પડે. તે વખતે, ચોર ન હોય તેને ચોર માની તે પુરુષ મારી નાખે, તો તે દૃષ્ટિવિપર્યાસડપ્રત્યયિક ક્રિયસ્થાન કહેવાય.
(૬) મૃષાવાદપ્રત્યયિક – એટલે કે, જૂઠું બોલવારૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કોઈ માણસ પિતાને માટે કે પિતાનાં માટે જૂઠ બોલે કે બેલાવે, તે તે મૃષાવાદપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય.
(૭) અદત્તાદાનપ્રત્યાયિક – એટલે કે, ચોરી કરવારૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કોઈ
૧. મૂળમાં ધાન્યનાં નામો આ પ્રમાણે છે :- શાળી, ડાંગર, કોદરા, કાંગ, બંટી, રાલ.
૨. મૂળમાં નકામા ઘાસનાં નામે આ પ્રમાણે છે :-શ્યામાક, તણગ, મુકુંદક, વીહિશિત, કાલેષક.
૩. મૂળમાં તે ઉપરાંત નીચેનાં નામ પણ છે :-બેટ (નદી કે પહાડને આશરે વસેલું નાનું ગામ); ખર્વટ (પર્વતથી વીંટળાયેલું ગામ); મંડળ (જેની ચારે બાજુ યોજન સુધી બીજું ગામ ન હોય તેવું ગામ); દ્રોણમુખ (નદી કે દરિયાકિનારે જ્યાં ભરતી આવતી હેય, ત્યાં વસેલું ગામ); પટ્ટણ્ (રત્નની ખાણવાળું ગામ); આશ્રમ (તાપસનું સ્થાન); સંનિવેશ (વેપારી કાફલા કે લકરને ઉતારે) નિગમ (વેપારી વાણિયાઓનું મથક)તથા રાજધાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org