________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ સ્થાવરજંગમ પ્રાણોને હણે કે રિબાવે તો તે અનર્થદંડપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય.
(૩) હિંસાદડપ્રત્યયિક –એટલે કે, પ્રાણની હિંસારૂપી પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કોઈ પુરુષ, “અમુક પ્રાણીએ કે મનુષ્ય મને, મારાને કે બીજ કોઈને ઈજા કરી હતી, કરે છે, કે કરશે” એમ માની, સ્થાવરજંગમ પ્રાણોની હિંસા કરે, તે તે હિંસાદંડ પ્રત્યયિક કિયાસ્થાન કહેવાય.
(૪) અકરમાદંડપ્રત્યયિક – એટલે કે, અજાણતા થયેલા પાપને કારણે પ્રાપ્ત થતું ક્રિયાસ્થાન. જેમકે, કેઈ પુરુષ મૃગ વગેરે જાનવરોને મારીને આજીવિકા ચલાવતે હેય; તે માણસ કેઈક પ્રાણીને મૃગ માની, તેને મારવા બાણ છેડે, અને અજાણતાં કોઈ બીજા જ પ્રાણીને વીંધી નાખે,
૧. મૂળમાં સ્થાવર પ્રાણના નામ નીચે પ્રમાણે છે : ઈડ, જંતુગ, પરગ, મેખ, તૃણ, કુશ, કચ્છ વગેરે તૃણો અને વનસ્પતિઓ.
૨. મૂળમાં તેના દાખલા નીચે પ્રમાણે આપ્યા છે . જ્યાં હંમેશાં પાણી રહેતું હોય, ધરે હોય, નીચાણવાળી જગ્યા હોય કે ઝડથી ઢંકાયેલી અંધારી જગા હોય – એટલે કે, જ્યાં જીવજતુ હોવાનો સંભવ વિશેષ કરીને હેય, ત્યાં ઘાસના ઢગલા કરીને આગ લગાડે; અથવા જ્યાં આજુબાજુ વૃક્ષ, ખાઈ, કે વનના કિલાએ જેવું હોય, પર્વત હોય કે પર્વતની આજુબાજુ કિલા જેવું હેય – એટલે કે, જ્યાંથી પ્રાણીઓ ઝટ બહાર નાસી જઈ શકે તેમ ન હોય, ત્યાં આગ લગાડે.
૩. મૂળમાં તેમનાં નામ નીચે પ્રમાણે છે : તેતર, બટેરે, ચકલો, લાવરી, કબૂતરવાં કે. કપિલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org