________________
નાલંદાને એક પ્રસંગ હસ્તિયામ નામનું ઉપવન હતું. તેમાં આવેલા એકાદ મકાનમાં ભગવાન ગૌતમ રહેતા હતા. તે ઉપવનમાં તેમના ઉપરાંત ભગવાન પાર્શ્વના અનુયાયી, નિગ્રંથ, મેદાય ગોત્રનો ઉદક પેઢાલપુત્ર પણ રહેતે હતે.
એક વખત તે ગૌતમ પાસે આવી કહેવા લાગ્યું :
હે આયુષ્માન ગૌતમ ! કુમારપુત્ર નામના શ્રમણનિગ્રંથ કે જેઓ તમારા મતને અનુસરે છે, તેઓ વત–નિયમ લેવા આવેલા ગૃહસ્થ પાસે એવો નિયમ લેવરાવે છે કે, “બીજાની જબરદસ્તી બાદ કરતાં, બધું ન થઈ શકતું હોય તો હું પણ કરવાની ભાવનાથી (માત્ર) હાલતાં ચાલતાં પ્રાણુઓની હિંસા હું નહિ કરું.” પરંતુ બધાં પ્રાણીઓ વારાફરતી સ્થાવરજંગમ એવી યોનિઓમાં ભમ્યા જ કરતાં હોય છે. કોઈ વાર સ્થાવર પ્રાણી બીજા જન્મમાં જંગમ થઈને જન્મે છે, કે જંગમ પ્રાણી સ્થાવર થઈને જમે છે. એટલે કોઈ પ્રાણી માત્ર સ્થાવર નથી કે
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧.
૨. ભગવાન મહાવીર પહેલાંના ૨૩મા જૈન તીર્થકર. પછીથી એ બંનેના અનુયાયીઓ એકત્રિત થઈ ગયા હતા.
૩. મૂળમાં આ શબ્દો છે: “પેલા ગૃહસ્થ પોતાના પકડાયેલા છ પુત્રો (છોડાવવાનું અશક્ય લાગ્યું ત્યારે તેઓ)માંથી એકને છોડાવ્યો એ ભાવનાથી.” તેની આવી કથા છેઃ એક ગૃહસ્થના છ પુત્રો એક વાર રાજાના અપરાધમાં આવી જતાં તેણે તે ને વધ કરવાની આજ્ઞા કરી. તે ગૃહસ્થ રાજા પાસે તેમને માફી આપવાની ઘણી વિનતિ કરી. પરંતુ રાજાએ માન્યું નહિ. પછી તેણે અનુક્રમે છમાંથી પાંચને, ચારને, ત્રણને, બેને અને છેવટે વશ રહે તેટલા પૂરતો એકને બચાવવાની આજીજી કરી. એટલે રાજાએ એક પુત્રને જીવતો રહેવા દીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org