________________
અધ્યયન ૫ મું કેટલીક સદાચારઘાતક માન્યતાઓ શ્રીસુધર્મસ્વામી બોલ્યા :
બ્રહ્મચર્ય સ્વીકારી, નિર્વાણુમાર્ગને અનુસરવા પ્રયત્ન કરનારા બુદ્ધિશાળી ભિક્ષુએ નીચેની સદાચારઘાતક માન્યતાઓ ન ધરાવવી. જેમકે, પદાથોને અનાદિ જાણુને કે અનંત જાણીને, તે શાશ્વત છે કે અશાશ્વત છે એ એકે પક્ષ ન ધારે. કારણકે, એ બંનેમાંથી કોઈ પણ પક્ષ સ્વીકારીએ, તે વ્યવહાર કે પુરુષાર્થ ઘટી શકતું નથી. માટે એ બંને પક્ષોને અનાચારરૂપ ગણવા. [૧-૩]
તે જ પ્રમાણે, ભવિષ્યમાં કોઈ તીર્થકર થવાના નથી અને બધા જીવો બંધનયુક્ત જ રહેવાના છે એમ પણ ન
૧. શાશ્વત એટલે એક રૂપે જ હંમેશાં રહેનાર. જેમકે, આત્મા ડુંમેશાં બદ્ધ જ રહેશે એમ માનીએ તો મોક્ષ માટે પુરુષાર્થ ન ઘટે. છે તેને બદલાયા કરનાર માનીએ, તેપણ મુક્ત થયા પછી પાછો બદ્ધ થાય, એટલે પણ પુરુષાર્થ ન ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org