________________
જુદાં જુદાં વિદને
૯૩. તે વખતે નબળા મનને ભિક્ષુ ઢીલો થઈ જાય છે. વળી
જ્યારે ડાંસમચ્છર કરડે છે, અને ઘાસની અણીઓ ખેંચે છે, ત્યારે તેને પોતાના ભિક્ષુજીવનની સાર્થકતા વિષે જ શંકા આવે છેઃ “કદાચ પરલોક જેવું કાંઈ જ ન હોય અને મરણ એ જ બધાનો અંત હોય તો !” બીજા કેટલાક, વાળ, ટૂંપાવવા પડતા હોવાથી ત્રાસી જાય છે અથવા બ્રહ્મચર્ય પાળી ન શકાવાથી હારી જાય છે. વળી કોઈ વાર ભિક્ષુ ફરતાં ફરતાં સરહદના ભાગમાં જઈ ચડે છે, તે ત્યાંના લોકે તેને જાસુસ કે ગેર સમજી પકડે છે અને મારે છે. તે વખતે, ગુસ્સામાં પતિને છેડી ચાલી નીકળેલી સ્ત્રીની પેઠે તે ઘર યાદ કરે છે ! આ બધાં વિધ્રો અલબત્ત બહુ કઠેર છે તથા દુ:સહ છે, છતાં તેમનાથી ગભરાઈ પાછા ભાગવાને બદલે, ધીરજથી તેમને સહન કરતાં શીખવું જોઈએ.
વળી પિતાના નાજુક નેહસંબંધે તેડતાં પણ નવા ભિક્ષને ઓછી મુશ્કેલી નથી પડતી. તેને ભિક્ષા માગવા આવેલો દેખી, સગાંસંબંધીઓ તેને ઘેરી લઈ વિલાપ કરવા માંડે છે કે : “હે તાત ! અમે તને ઉછેરી માટે કર્યો, હવે તું અમારું ભરણપોષણ કર. તેમ કરવાને બદલે તું અમારે ત્યાગ કેમ કરે છે ? વૃદ્ધ માતાપિતાનું ભરણપોષણ કરવું એ તે આચાર છે. તેને ત્યાગ કરવાથી તેને ધર્મ શી રીતે પ્રાપ્ત થશે? તારા વડીલો મીઠી જીભના છે, તારા પુત્રો હજુ બાળક છે, તારી સ્ત્રી પણ જુવાન છે. રખે તે અવળે માર્ગે ચડી જાય ! માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org