________________
તેર ફિયાસ્થાને અથવા જાળ પાથરનારો વાઘરી બની, હરણ વગેરે પ્રાણીને મારી કાપીને, અથવા પંખી પકડનાર વ્યાધ બની, પંખી વગેરેને મારી કાપીને, અથવા માછી બની, માછલાં વગેરેને મારી કાપીને, અથવા ગાયો વગેરે પાળનારે ગોવાળ બની, ગાયે વગેરેને મારી કાપીને, અથવા ગાય કાપનારે ખાટકી બની, ગાય કે બીજા કેઈ પ્રાણુને મારી કાપીને, અથવા શિકારી કૂતરાં પાળનારે બની, તે કૂતરાને કે બીજા પ્રાણીને મારી કાપીને, અથવા શિકારી કૂતરાં પાળનારને મદદગાર બની, તેને જ અથવા બીજા પ્રાણીઓને મારી કાપીને – પિતાને કે પિતાના માટે આહાર વગેરે ભેગસામગ્રી મેળવે છે. આમ એ બધાં મહાપાપકર્મો વડે તેઓ પિતાની અધોગતિ કરે છે.
વળી કેટલાક લેકે મિજલસમાં બેઠા હોય છે, ત્યારે કાંઈ કારણ વિના જ ઊભા થઈને કહે છે કે : “ જુઓ હું પેલા પંખને મારું છું'. એમ કહી, કેઈ તેતર, બટે, લાવ, કબૂતર કે કપિંજલને કે બીજા કોઈ પ્રાણીને મારે છે.
વળી કેટલાક લોકે ખળાની વહેંચણીમાં કે દારૂની વહેંચણીમાં વાંધો પડવાથી, કે તેવા કાંઈ કારણથી ચિડાઈ જઈ સામા ગૃહસ્થનાં કે તેના પુત્રનાં અનાજથી ભરેલાં ખેતર જાતે કે બીજા પાસે સળગાવી મુકાવે છે; અથવા તેમનાં ઊંટ, ગાય, ઘેડા, ગધેડાં વગેરે પશુઓના જાધ વગેરે અવયવો જાતે કે બીજા પાસે કપાવી નખાવે છે; અથવા તેમનાં જાનવરના તબેલાઓ કે વાડાઓ, કાંટા ઝાંખરાંથી ભરી કાઢી, જાતે કે બીજા પાસે સળગાવી મુકાવે છે; અથવા
૧. ટીકાકાર અહીં “કઈ ગાય આડી અવળી ચાલે તે તેને મારે કરે” એ અર્થ સૂચવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org