________________
૧૮૪
મહાવીર સ્વામીને સંયમધર્મ તેમનાં કુંડળ મણિ, મોતી વગેરે કીમતી વસ્તુઓ જાતે કે બીજા પાસે લૂંટાવે છે; અથવા તેમને ઘેર આવેલા શ્રમણબ્રાહ્મણોનાં છત્ર, દંડ, પાત્ર વગેરે જાતે કે બીજા પાસે પડાવી લેવરાવે છે. એમ કરી, તેઓ મહાપાપકર્મોથી પિતાની અધોગતિ કરે છે.
વળી બીજા કેટલાક કાંઈ કારણ વિના જ તે બધું કરે છે અને એમ કરી પોતાની અર્ધગતિ કરે છે.
કેટલાક માણસે કઈ શ્રમણ કે બ્રાહ્મણને આવેલ દેખી, કાંતિ તેને ચપટી વગાડી ચાલ્યા જવાનું કહે છે, અથવા તેને કઠેર વચન સંભળાવે છે. ભિક્ષાકાળે આવેલા તેને કાંઈ આપવાને બદલે, તેઓ કહી સંભળાવે છે કે, મજૂરી કરવી પડતી હોય કે કુટુંબને ભાર ઊંચકી શકાતું ન હોય કે આળસુ, હલકી વર્ણન કે નકામે માણસ હેય, તે શ્રમણ થઈને આમ રખડે છે. તેવા નાસ્તિક લોકો આ જીવનને – આ પાપી જીવનને – વખાણે છે. તેમને પરલોકની કાંઈ પડી નથી હોતી. તેઓ પોતાના સુખને કારણે બીજાઓને ગમે તેવાં દુઃખ દે છે, અને જરા પણ પાછું વળીને જોતા નથી. તેઓ મેટી મેટી પ્રવૃત્તિઓ અને હિંસા વગેરે પાપકર્મોથી મનુષ્ય જીવનના ઉત્તમ કામો ભોગવે છે. ખાન, પાન, વસ્ત્ર, શયન વગેરે બધું તેમને વખતસર જોઈએ છે. નાહી ધોઈ બલિકર્મ કરી, કૌતક, મંગળ તથા પ્રાયશ્ચિત્તથી પરવારી, માથું ઓળી, કંઠમાળ, કંદરે, હાર
૧. ઉતાર; નજર વગેરે લાગી હોય તે માટે.
૨. સેનું, દહીં, સરસવ વગેરે માંગળિક વસ્તુઓ સવારના પહેરમાં જેવી સ્પર્શવી વગેરે.
૩. રાત્રે કુરવપ્નાદિ આવ્યાં હેય તથા સવારમાં ઊઠતાં અપશુક થયા હોય, તેમનું નિવારણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org