________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ અતિ પ્રખર બુદ્ધિવાળા વડે જ સમજી શકાય તેમ હોવાથી ધીરે ધીરે ઉચ્છિન્ન થઈ ગયા. તેથી હાલમાં સુધમ સ્વામીએ રચેલી એકાદશાંગી ચાલે છે. જો કે આ ઉપરથી એમ નથી માનવાનું કે મહાવીર ભગવાન સંસ્કૃતમાં ઉપદેશ આપતા હશે. કારણ, સમવાયાંગમાં જણાવ્યું છે કે, “ભગવાન અર્ધમાગધી ભાષા દ્વારા ધર્મને કહે છે.”
હવે સવાલ એ થાય છે કે, મૂળ અને સ્વતંત્ર કહી શકાય એવા પૂવ ગ્રંથો બારમા અંગમાં શા માટે અને કયારે સમાવી દેવામાં આવ્યા, તેમજ અત્યારના અંગ ગ્રંથોમાં દ્વાદશાડગી— બાર અંગે - એવો ચો ઉલ્લેખ મળતો હોવા છતાં, તથા ચોથા અંગમાં તથા નંદી સૂત્રમાં બારમા અંગના વિષયોનું વર્ણન પણ વિસ્તારથી આપવામાં આવ્યું હોવા છતાં, તથા પછીના સમયની ટીકાઓમાં પણ પૂર્વ ગ્રંથોમાંથી ઉતારાઓ આપવામાં આવ્યા હોવા છતાં, ભદ્રબાહુના સમય જેટલા જૂના સમયમાં જ એ બામું અંગ લુપ્ત થઈ ગયું એવી પરંપરા શાથી ઊભી થઈ ? પરંપરામાં પણ ચૌદ પૂર્વો એકસામટાં લુપ્ત થઈ ગયાં મનાતાં નથી. ભદ્રબાહુ પછી દશ પૂર્વી રહ્યાં હતાં અને પછી પણ તે એક એક કરતાં ઓછાં થઈ ગયાં એમ માનવામાં આવે છે. એટલું તો શું, પણ મહાવીરસ્વામી પછી ૧૦૦૦ વર્ષો બાદ એટલે કે દેવગિણિએ ફરી વલભીને સંધ ભેગે કરી અંગ ગ્રંથે એકઠા કર્યા, ત્યારે પણ એક પૂર્વ બાકી રહેલું ગણવામાં આવે છે.
ચાલી આવતી જૈન પરંપરામાં આવી કેટલીક શંકાઓ ઊઠવાથી ઘણા વિદ્વાને એવી કલ્પના કરે છે કે, “પૂર્વ ગ્રંશે” એ જૈન ધર્મના મૂળ પ્રાચીન ગ્રંથ હશે. મહાવીર પહેલાં જૈનધર્મ હતો એ તો પાર્શ્વનાથની ઐતિહાસિકતાથી જ સિદ્ધ થઈ શકે છે. પરંતુ તે ગ્રંથના સિદ્ધાંત તથા ભાષા પછીના સમયમાં નિરપગી અથવા તે અધૂરાં માલુમ પડ્યાં હશે એટલે ચાલું લોકભાષામાં નવા અંગગ્રંથો કંઈક વિસ્તારથી રચવામાં આવ્યા હશે. ધીમે ધીમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org