SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત અંગગ્રંથાનેા જ પ્રચાર વધવાથી પૂગ્રંથા ભુલાવા લાગ્યા હશે એટલે તેમના ખાકી રહેલા ભાગે ૧૨મા દૃષ્ટિવાદ અંગમાં એકત્રિત કરી લેવામાં આવ્યા હશે. પરંતુ તે જ કારણે તે ખારમું અંગ પણ પછી ભુલાવા લાગ્યું હરશે. દુકાળ પૂરા થતાં દક્ષિણમાં ગયેલા સાધુએ પાછા આવ્યા. તે વખતે તેમને માલૂમ પડયું કે, ઉત્તરમાં રહેલા સાધુએએ શ્વેત વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું હતું. તેમજ બીજી બાબતામાં પણ તેમનું જીવન ધર્માંના કડક નિયમોની ઈષ્ટએ કઈક શિથિલ માલૂમ પડયું. દક્ષિણમાં ગયેલાએ એ તેા નગ્ન રહેવાને મૂળ કડક નિયમ જ ચાલુ રાખ્યા હતા. ઉત્તરના સંઘે વસ્ત્રો પહેરવાનુ શા માટે શરૂ કર્યું તેનાં કારણા બતાવવાં અશક્ય છે, પરંતુ એટલું તેા નકકી જ કે, મહાવીરની પહેલાંના જૈન તીર્થોંકર પાર્શ્વનાથના અનુયાયીએ વસ્રો પહેરતા હતા, અને મહાવીરે જ વસ્ત્રો ન પહેરવાને નિયમ દાખલ કર્યા હતા, એટલે ત્યારથી જ વસ્ત્ર પહેરવા ન પહેરવા બાબતમાં મતભેદ જેવું તે જૈનસંધમાં ચાલતું જ હાવું જોઇ એ. અને તેમાં દુકાળની વિકટ પરિસ્થિતિએ કાંઇક કારણે ઉમેરી આપ્યાં હશે. ગમે તેમ હા પણ, તે વખત પૂરતા તે અંતે સધે શ્વેતાંબર અને દિગંબર એમ બે ભાગમાં વહેંચાઇ ન જતાં, સ્થૂલભદ્રના નેતૃત્વ હેઠળ જ એકઠા રહ્યા. એમ કહેવાય છે કે ભદ્રબાહુ જ આખા સત્ર સ્થૂલભદ્રને સોંપી તપશ્ચર્યાં કરવા તેપાલમાં ચાલ્યા ગયા. જયારે બીજી પરંપરા એવી પણ છે કે ભદ્રબાહુનું અવસાન દક્ષિણમાં ચંદ્રગિરિ ઉપર થયું હતું. હ પરંતુ ઉત્તરના અને દક્ષિણના સંધામાં વસ્ત્ર પહેરવા ન પહેરવાના મતભેદ કરતાં મુખ્ય મતભેદ તેા ઉત્તરના સધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy