________________
મહાવીરસ્વામીને સ ધમધમી ભદ્રબાહુની ગેરહાજરીમાં ભેગા કરેલા આગમ ગ્રંથની બાબતમાં પડ્યો. દક્ષિણના સંઘે એ ગ્રંથને પ્રમાણભૂત માનવાની ના પાડી અને જાહેર કર્યું કે, મૂળ ગ્રંથે તો સમૂળ નષ્ટ થઈ ગયા છે. આવી મુખ્ય બાબતમાં મતભેદ પડે એ સંઘની એકતા માટે બહુ હાનિકારક હતું. એટલે છેવટે છેલ્લા દશપૂવી વજીસ્વામીના શિષ્ય વજુસેનના સમયમાં (ઈ. સ. પૂર્વે ૭૯ કે ૮૨ માં ) એટલે કે મહાવીર સ્વામી પછી લગભગ ૬૦૯ વર્ષે તે બે સંધે તાંબર અને દિગંબર નામથી હંમેશને માટે છૂટા પડી ગયા. ૧
વખત જતાં પાટલીપુત્રના સંઘે એકત્રિત કરેલા ગ્રંથ પણ ધીમે ધીમે લુપ્તપ્રાય થતા ચાલ્યા. એટલે તે ગ્રેને ફરી નવેસરથી નિયત સ્વરૂપ આપવાની આવશ્યકતા ઊભી થઈ. તે પ્રમાણે છેક ઈ. સ. ૪૫૪માં દેવદ્ધિગણિના પ્રમુખપદે વલભીપુરમાં સંધ ફરી એકઠો થયો અને તેણે જૈન ધર્મગ્રંથ નિર્ણત કરવાને વ્યવસ્થિત પ્રયત્ન કર્યો.
- ત્યાર પછી તે નિશ્ચિત સ્વરૂપે બધા ગ્રંથે લિપિબદ્ધ થઈ ગયા. તે સ્વરૂપમાં જ તે અત્યાર સુધી ચાલ્યા આવે છે.
૧. તે બે પં િવચ્ચે એ ઉપરાંત મહાવીરના જીવનની કેટલીક હકીકતો વિષે પણ મતભેદ છે: જેમકે મહાવીરને ગર્ભ બ્રાહ્મણના પેટમાંથી ત્રિશલાને પેટમાં લાવવામાં નહોતો આવ્યો વગેરે. તેમના મતભેદના મુખ્ય મુદ્દા પાંચ કહેવાય છે : (૧) તીર્થંકરની પ્રતીમાં નગ્નાવસ્થામાં, આભૂષણ વિનાની તથા નીચે ઢાળેલી આંખો વાળી જોઈએ. (૨) સ્ત્રીઓ મેક્ષ ન પામી શકે. (૩) મહાવીરે લગ્ન નહોતું કર્યું. (૪) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળજ્ઞાની સ્થૂલ આહાર ન કરે. (૫) સાધુઓ વસ્ત્ર ન પહેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org