________________
તેર યિાસ્થાને
' [ હવે ઉપસંહારરૂપે આખા અધ્યયનને સાર તારવવાના હેતુથી એક આખ્યાયિકા કહે છે: ] - ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી એમ જુદા જુદા વાદીઓની સંખ્યા ૩૬૩ કહેવાય છે બધા લેકેને તેઓ પરિનિર્વાણ અને મેક્ષને ઉપદેશ આપતા વિચારે છે. તેઓ પિતાપિતાની પ્રજ્ઞા, છંદ, શીલ, દષ્ટિ, રુચિ, પ્રવૃત્તિ અને સંકલ્પ અનુસાર જુદા જુદા ધર્મમાર્ગો સ્થાપીને તેમનો પ્રચાર કરે છે.
એક વખત તે બધા વાદીએ એક મોટું કુંડાળું વળીને એક ઠેકાણે બેઠા હતા. તે વખતે એક માણસ બળતા અંગારાથી ભરેલી એક લોઢાની કઢાઈ પૂરેપૂરી ભરીને, લેઢાની સાંડસી વડે પકડી, જ્યાં તે બધા બેઠા હતા ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો : “હે મતવાદીએ ! તમે બધા પોતપોતાના ધર્મમાર્ગોના સંસ્થાપકે છે, અને પરિનિર્વાણુ તથા મોક્ષનો ઉપદેશ આપતા વિચરો છે. તમે આ બળતા અંગારાથી ભરેલી કઢાઈ એક મુદ્દત સુધી ખુલ્લા હાથમાં પકડી રાખો !”
આમ કહી, તે માણસ તે બળતા અંગારાથી ભરેલી કઢાઈ દરેકના હાથમાં મૂકવા ગયે. પરંતુ તેઓ પિતપોતાના હાથ પાછા ખેંચી લેવા લાગ્યા. એટલે તે માણસે તેમને પૂછયું, “હે ધર્મસંસ્થાપક ! તમે તમારા હાથ પાછા કેમ ખેંચી લે છે ? હાથ ન દાઝે તે માટે? અને દાઝે તો શું થઈ જાય ? દુઃખ ? દુઃખ થાય તે માટે તમે તમારા હાથ પાછા ખેંચી લે છે એમ ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org