________________
ઉપઘાત છે. પરંતુ તેથી તેનું વાચન અરસિક બને તેવું નથી. આ ઉપઘાતમાં પરવાદીઓને ઘેડે ઘણો પરિચય મેળવી લીધા પછી તો તે ચર્ચા વળી વધુ રસિક થઈ પડવાનો સંભવ છે. મહાવીર ભગવાનના સાચા અણુની કિંમત તો તેથી જ આંકી શકાય તેમ છે તે ઉપર જણાવી આવ્યા છીએ. સન્મતિતર્કના કર્તાએ તો પિતાના પુસ્તકને અંતે જિનવચનને પ્રણામ કરતાં એ વસ્તુને જિનવચનની વિશિષ્ટતારૂપે જણાવી છે. પરવાદીઓની જાળમાંથી પ્રજાને બચાવી, તથા તેમના સિદ્ધાંતને સમન્વય બતાવી, જિન સિદ્ધાંત લેકની અને તે વાદીઓની પોતાની ઓછી
સેવા નથી બજાવી. એટલે આપણે પણ સન્મતિકારના - શબ્દોમાં જ ભક્તિભાવે જિન સિદ્ધાંતને આપણા પ્રણામ નિવેદિત કરી, આ પ્રસ્તાવના પૂરી કરીએ.
भई मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ॥
સન્મતિ ૬૬ . -~-મિથ્યાદર્શનના સમુહરૂપ, અમૃત આપનાર અને મુમુક્ષુઓ વડે અનાયાસે સમજી શકાય એવા પૂજ્ય જિનવચનનું ભદ્ર હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org