________________
પછી, પિતાના શિષ્ય જબુસ્વામીને કહ્યું. અને ઈ. સ. પૂર્વે પહેલા શતકમાં પાટલિપુત્રમાં મળેલા સંઘે જૈન આગમના સંરક્ષણને ભારે પ્રયત્ન કરી, આગમ અમુક રૂપમાં સ્થિર કર્યા. તે પછી કેટલેક કાળે, ઈ. સ. ૪૫૪ માં, દેવદ્ધિગણિના પ્રમુખપદે વલભીપુરમાં જૈન સંધ મળે એણે આગમને વ્યવસ્થિત અને પત્રારૂઢ કર્યા. આ રીતે, આપણે હાલ જે રૂપમાં એ ગ્રન્થ જોઈએ છીએ એ રૂપમાં જૈન આગમ મહાવીર સ્વામી પછી લગભગ એક હજાર વર્ષ પછી છે. ઓછીવત્તી આ સ્થિતિ પ્રાચીન બૌદ્ધ અને બ્રાહ્મણ ગ્રન્થની પણ છે. પણું જે શ્રદ્ધા અને માનથી પ્રાચીન ગ્રન્થ – અને તે પણ ધર્મના પ્રાચીન ગ્રન્થ -– આપણુ પ્રજા સાચવે છે, તે ધ્યાનમાં લેતાં, ઉપલબ્ધ ગ્રન્થ એના શબ્દાંશમાં ભલે કાંઈક ભિન્ન છે, પણ એના અર્થોશમાં તે એ લગભગ યથાપૂર્વ રક્ષિત હશે એમ માનવું અપ્રમાણ નથી. આ રીતે સૂત્રકૃતાંગ પ્રાચીન દષ્ટિઓના સ્વરૂપ ઉપર બહુ પ્રકાશ પાડે છે અને એને બૌદ્ધ બ્રહ્મજાલસુત્તમાં કરેલા નિરૂપણથી સ્વતંત્ર પુષ્ટિ મળે છે. એ દષ્ટિઓનું આ પુસ્તકના ઉપદ્યાતમાં સારું સ્પષ્ટીકરણ થએલું છે. એટલે એ સંબધી પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. તથાપિ એક વસ્તુ ઉમેરું. એમાં ઉલ્લેખાયેલા વદ પુરાણ સિદ્ધાન્તનાં વિકૃત રૂપ જણાય છે, અને એ વિકૃતરૂપે શ્રી મહાવીરસ્વામીના સમયમાં એ લોકમાં પ્રચલિત હશે એમ અનુમાન કરવું પડે છે. તેમ, મૂળ રૂપમાં પણ એ સર્વ વાદ અનેકાન્ત જેન દષ્ટિએ અપૂર્ણ સત્ય છે એ ધ્યાનમાં રાખવાનું છે. અને સહુથી મ્હોટી વાત લક્ષમાં, રાખવાની છે તે એ કે, અત્રે કરેલા જેન ઉપદેશ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org