________________
અવકાશ જ ક્યાં રહ્યો ? ઉભયની, બ્રાહ્મણની તેમજ જૈનોની, બંનેના ગ્રંથે એકઠા કરી એમાંથી આધ્યાત્મિક ઉચ્ચ જીવનને ઉપયોગી થતા આચારવિચાર જીવનમાં ઉતારવાની ફરજ છે.
પ્રાચીન ભારતના તત્ત્વજ્ઞાનના અભ્યાસીને સૂત્રકૃતાંગમાં નોંધેલા વિવિધ જૈનેતર સિદ્ધાન્ત જાણવા જેવા અને રસ ઉપજાવે એવા છે. એવી જ નોંધ બૌદ્ધ ધર્મના બ્રહ્મજાલસુત્તમાં પણ મળે છે. પણ એ સિદ્ધાન્તોના સમયને પ્રશ્ન તત્ત્વજ્ઞાનના ઇતિહાસકારને મૂંઝવે એવો છે. બૌદ્ધ ત્રિપિટકે
અને ખાસ કરીને તદન્તર્ગત બ્રહ્માલસુત્ત ઈ. સ. પૂ. ૨૦૦ વર્ષ પહેલાં મૂકી શકાય એમ નથી એમ એની ભાષાના
સ્વરૂપ ઉપરથી સિદ્ધ થાય છે. જૈન આગમન સર્વથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રન્થ, જે મહાવીર સ્વામીથી પણ પૂર્વેના માનવામાં આવે છે, એ “પૂર્વ’ નામથી પ્રસિદ્ધ છે. અને તે, પછીની “દ્વાદશ અંગ” નામની ગ્રન્થાવલિમાં બારમું અંગ જે “દષ્ટિવાદ' કહેવાતું, તેમાં દાખલ કરવામાં આવ્યાં હતાં; પરંતુ કાળબળે બારમું અંગ આખું લુપ્ત થયું અને તે સાથે પૂર્વે પણ ગયાં! એ દૃષ્ટિવાદ અને પૂર્વે હયાત હોત, તે એમાં જૈનેતર દષ્ટિની બહુ હકીકત આપણને મળત, અને એ પુસ્તકે મહાવીર સ્વામીની પહેલાંના હેવાથી, એ દષ્ટિઓના સમયના પ્રશ્નને પણ કાંઈક અંશે નિર્ણય થઈ શકત. પરંતુ ઉપર કહ્યું તેમ એ નષ્ટ થવાથી સૂત્રકૃતાંગ વગેરે જે અંગે હયાત છે, એમાંથી જે પુરાવા મળે તે ઉપર આપણે અધાર રાખવો પડે એમ છે. સૂત્રકૃતાંગ બીજા - અંગેની પેઠે સુધર્માસ્વામી, જેમનો જન્મ ઈ.સ. પૂર્વે ૬૦૭ બમાં થયેલો મનાય છે, એમણે મહાવીર સ્વામીના નિર્વાણ પામ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org