SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યાં નથી ? નૈતિક સિદ્ધાન્તમાં અને આધ્યાત્મિક ઉન્નતિ. સંપાદન કરવાના આચારમાં ત્રણે ધર્મમાં તત્ત્વતઃ એટલી એકતા છે કે, તેઓના પરસ્પર વિરાધ સમઝી શકાતા નથી. " વાચકની ક્ષમા યાચીને હું એને મ્હારા પોતાના એક વાક્યનું સ્મરણ આપવા ધૃષ્ટતા કરું છું કે — જૈન ’ થયા વિના ‘બ્રાહ્મણ ’ થવાતું નથી, અને ‘બ્રાહ્મણ' થયા વિના ‘ જૈન ” થવાતું નથી. તાત્પર્ય કે જૈન ધર્મનું તત્ત્વ ઇન્દ્રિયાને અને મનોવૃત્તિઓને જીતવામાં છે; અને બ્રાહ્મણુ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે. તા હવે, કહે કે ઇન્દ્રિયાને અને મનેાવૃત્તિને ત્યા વિના આત્મામાં વિશાળતા શી રીતે આવે? અને આત્માને વિશાળ કર્યાં વિના ઇન્દ્રિયાને અને વૃત્તિઓને શી રીતે જિતાય? આ કારણથી જ આ ગ્રન્થમાં ‘બ્રાહ્મણ' શબ્દના ખરા અર્થમાં અને ‘બ્રાહ્મણ'ની ઊંચી ભાવનાનું સ્મરણ કરાવતા શબ્દોમાં મહાવીર સ્વામીને ‘મિતિમાન ભ્રાહ્મણ મહાવીર ’ (પૃ. ૧૨૧, ૧૨૮ ) કહ્યા છે, અને ‘જગતના સત્ય વિચાર કરનારા ’એમાં શ્રમણ અને બ્રાહ્મણ ગણાવ્યા છે (પૃ. ૧૭૬). તે જ પ્રમાણે ઉત્તરાધ્યયન વગેરે અનેક પ્રતિષ્ઠિત જૈન ગ્રન્થામાં ‘ બ્રાહ્મણ ’ની પ્રશંસા કરી છે અને ખરા બ્રાહ્મણુ કાણુ એ સમઝાવ્યું છે. બેશક, એ પ્રશંસા ખરા ‘ બ્રાહ્મણ ' ની જ છે, પણ ખરા જૈન' થયા વિના કયા જૈનને વમાન બ્રાહ્મણની નિંદા કરવાના અધિકાર છે? અને એ જ પ્રમાણે, ખરા ‘બ્રાહ્મણ ' થયા વિના વર્તમાન જૈનની નિંદા કરવાને પણ દરેક બ્રાહ્મણને અધિકાર નથી. અને બ્રાહ્મણુ ખરા બ્રાહ્મણુ થશે, અને જૈન ખરા જૈન થશે, પછી નિન્દાના , " ११ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy