________________
૧૦૪ મહાવીરસ્વામીને સંયમ ધર્મ માટે વીણા વગેરે વાઘ તથા વર્ષાકાળ આવે ત્યારે ઘર, અનાજ, નવી દોરીઓવાળો ખાટલે તથા કાદવમાં પગ ન પડે માટે પહેરવાની પાવડિયો વગેરે પણ ખરાં જ ! [૭-૧૫]
એમ કરતાં કરતાં તે ગર્ભિણી થાય, એટલે તો તેના દેહને પાર ન રહે. તે બધા પણ તેણે નાકે દમ આવે તેય પૂરા કરવાના. પછી જ્યારે દંપતીજીવનના ફળરૂપ પુત્ર ઉત્પન્ન થાય, ત્યારે તો તે ભિક્ષુમાં અને ભાર વહેનાર ઊંટમાં કશે તફાવત જ રહેતો નથી. તેની સ્ત્રી વારંવાર તેને તિરસ્કાર કરી, છોકરાને રમાડવાનું તથા સંભાળવાનું કહ્યા કરે છે, તથા કોઈ વાર ગુસ્સે થઈ તેને ફેંકી દેવાનું પણ કહે છે. રાત્રે પણ તેને ઊંઘમાંથી ઊઠીને પુત્રને હાલરડાં ગાઈ ઊંઘાડવો પડે છે; અને શરમ આવતી હોય છતાં, સ્ત્રીને ખુશ કરવા, તેનાં કપડાં ધોવાં પડે છે. [૧૫-૧૭
આમ, ભેગોને માટે સ્ત્રીઓને વશ બનેલા ઘણા ભિક્ષુઓએ કરેલું છે. માટે ડાહ્યા પુરુષ સ્ત્રીઓની શરૂઆતની લેભાવનારી વિનંતિઓ તરફ લક્ષ આપી, તેમને પરિચય કે સહવાસ ન વધારવો. સ્ત્રી સાથેના કામભાગે એ હિંસાપરિગ્રહાદિ સર્વ મહાપાપનાં કારણ છે, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. એ ભોગો ભયરૂપ છે અને કલ્યાણુથી વિમુખ કરનારા છે. માટે, નિર્મળ ચિત્તવાળા બુદ્ધિમાન ભિક્ષુએ તે આત્મા સિવાયના સર્વ પર પદાર્થોની કામનાનો ત્યાગ કરી, મન વચન અને કાયાથી સર્વ સ્પર્શે સહન કરતા કરતા, મેક્ષ પામતા સુધી, વીરભગવાને બનાવેલા માર્ગને અનુસરવું. [૧૮-૨૨]
આમ કહી, શ્રીસુધર્મસ્વામી થોભ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org