________________
તેર કિયાસ્થાને
૧૮૧ આ બારે ક્રિયાસ્થાને મુમુક્ષુ શ્રમણબ્રાહ્મણે સારી રીતે સમજી લઈને ત્યાગવાં. કારણકે, તે બધાં અધર્મનાં સ્થાનરૂપ છે.
હે વત્સ, હવે તેરમું પથિક ક્રિયાસ્થાન તને કહું. પથિક એટલે કે, શુદ્ધ સાધુજીવન (ઈર્યાપથી ગાળતા મુનિ વડે પણ અજાણતાં અવશ્ય થતી કેટલીક સ્વાભાવિક ક્રિયારૂપી પાપ. આત્મભાવમાં સ્થિર રહેવા માટે સર્વ પ્રકારની મન–વાણ-કાયાની પ્રવૃત્તિઓ સાવધાનતાપૂર્વક કરનાર તથા ઇંદ્રિયો વગેરેને વશમાં રાખી, સર્વ પ્રકારના દોષથી પિતાનું રક્ષણ કરનાર સંયમી મુનિ વડે પણ, પાંપણના હાલવાચાલવા જેવી સૂક્ષ્મ ક્રિયાઓ થઈ જાય છે. તેમનાથી તેને કર્મ બંધાય છે. પરંતુ તે કર્મ પ્રથમ ક્ષણમાં બંધાય છે અને આત્માના સંબંધમાં આવે છે, બીજી ક્ષણે તેનું ફળ અનુભવાઈ જાય છે અને ત્રીજી ક્ષણે તે નાશ પામી જાય છે. પછી તેટલા પૂરત તે ભિક્ષુ કમરહિત થઈ જાય છે. પરંતુ તે ક્રિયા સ્થાન ધર્મના સ્થાનરૂપ છે અને તેથી અવશ્ય સેવવા યોગ્ય છે. ભૂતકાળમાં અરિહંતો અને ભગવતેએ તેને ઉપદેશેલું છે તથા સેવેલું છે. વર્તમાનમાં પણ ઉપદેશે છે તથા સેવે છે, અને ભવિષ્યમાં પણ ઉપદેશશે તથા સેવશે.
૧. મૂળમાં એ સાધુજીવનની વિગતોમાં સમિતિ, ગુપ્તિ વગેરેનું વર્ણન કરેલું છે.
૨. “પ્રવૃત્તિમાત્રથી આત્મામાં કર્મને પ્રવેશ થવાનાં દ્વાર ખૂલી જાય છે એ વાત ખરી. પરંતુ જે તે પ્રવૃત્તિ કેધ, લોભ આદિ કષાપૂર્વક થઈ હોય, તે જ કર્મ આત્મા સાથે ચેટી જઈ સ્થિતિ પ્રાપ્ત કરે છે. નહીં તે સૂકી ભીંત ઉપર લાગેલા લાકડાના ગોળાની માફક તરત જ છૂટી જાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org