________________
મહાવીરસ્વામીને સંયમધમ વર્ષ જીવ્યા અને ૮૦ વર્ષની ઉંમરે ઈ. સ. પૂ. ૪૬૩માં એટલે મહાવીર પછી ૬૪ વર્ષે નિર્વાણ પામ્યા. જંબુસ્વામી આ યુગના છેલ્લા કેવળજ્ઞાની કે કેવળી કહેવાય છે. કારણ કે જૈન માન્યતા પ્રમાણે મહાવીરસ્વામીના નિર્વાણ પછી જે દુઃષમા નામને ૨૧૦૦૦ વર્ષ પહોંચનારે યુગ બેઠે છે, તેમાં આ ક્ષેત્રે કઈ કેવળજ્ઞાન કે મેક્ષ પ્રાપ્ત કરી શકે તેમ નથી. મહા પ્રયત્ન પણ મનુષ્ય ઉચ્ચ દેવગતિ જ પ્રાપ્ત કરી શકે અને ત્યાંથી પછી એક યા વધુ જન્મે ભલે મેક્ષ પામે.
તેથી જંબુસ્વામી પછીના સંઘપતિઓ શ્રુતકેવળી જ કહેવાયા. કારણ કે તેમને મૃત એટલે શાસ્ત્ર મારફતે તોનું પરિપૂર્ણ જ્ઞાન હતું. મહાવીર પછી સાતમા સંઘપતિ સંભૂતિવિજ્યના મૃત્યુ બાદ તેમના ગુરુભાઈ ભદ્રબાહુ સંધપતિ બન્યા. તે છેલ્લા શ્રુતકેવળી હતા એમ કહી શકાય. તેમના સમયમાં એટલે કે ઈ. સ. પૂ. ૩૧૦માં અશોકને પિતામહ ચંદ્રગુપ્ત મૌર્ય રાજગાદીએ આવ્યું તે અરસામાં, મગધ દેશમાં બાર વર્ષ મોટો દુકાળ પડ્યો. આવા કારમાં દુકાળને વખતમાં લોકો પર અસહ્ય બેજો નાખ્યા વિના આટલો મોટો ભિક્ષુસંઘ જીવનનિર્વાહ કરી શકશે નહિ તેમજ સંઘના સખત નીનિયમોનું પાલન અસંભવિત થઈ પડશે એમ લાગવાથી, ભદ્રબાહુ પિતાના કેટલાક વિશ્વાસુ અને ધર્મનિષ્ઠ અનુયાયીઓ, કે જેમની સંખ્યા ૧૨૦૦૦ કહેવાય છે, તેમને લઈને દક્ષિણમાં કર્ણાટક તરફ ચાલ્યા ગયા. બાકી રહેલાઓના નાયક સંભૂતિવિજયના શિષ્ય સ્થૂલભદ્ર બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org