________________
આર્દકકુમાર
૨૨૫ રહેનાર પણ હોતો નથી. તેઓના વેપારમાં તે સફળતા અને નિષ્ફળતા બંને રહેલાં છે. જ્યારે, આ રક્ષણહાર અને જ્ઞાની શ્રમણ તો એ લાભ સાધે છે, કે જેને આદિ છે પણ અંત નથી. એવા એ અહિંસક, સર્વ જીવો ઉપર અનુકંપાવાળા, ધર્મમાં સ્થિત અને કર્મોનો વિવેક પ્રગટ કરનાર ભગવાનને તમે પિતાનું અકલ્યાણ સાધનારા વાણિયાઓ. સાથે સરખાવે છે, તે તમારા અજ્ઞાનને અનુરૂપ જ છે!
નવું કર્મ ન કરવું અને અબુદ્ધિને ત્યાગ કરી, જૂનું કર્મ ખંખેરી નાખવું” એવો ઉપદેશ એ રક્ષણહાર ભગવાન આપે છે. એને જ બ્રહ્મવત કહેવામાં આવે છે. એ લાભની ઇચ્છાવાળે તે શ્રમણ છે એ વાત હું કબૂલ કરું છું ! [૨૦-૨૫]
બદ્ધ ખોળના પિંડાને માણસ જાણું, કઈ ભાલાથી વીંધી નાખે અને તેને અગ્નિ ઉપર શેકે, અથવા કુમાર જાણીને તુંબડાને તે પ્રમાણે કરે, તો પણ તેને અમારે મને પ્રાણવધનું પાપ લાગે. પરંતુ બાળનો પિંડે માની કોઈ શ્રાવક માણસને ભાલાથી વીંધી અગ્નિ ઉપર શેકે, અથવા તુંબડું માની કોઈ કુમારને તેમ કરે, તે અમારે તે તેને પ્રાણવધનું પાપ ન લાગે, અને તેના વડે બુદ્ધોનું પારણું થાય.
વળી, જે હંમેશાં બે હજાર સ્નાતક ભિક્ષુઓને જમાડે, તે પુણ્યને મહારાશિ ભેગા કરી, મર્યા બાદ અરૂપધાતુ નામના. સ્વર્ગમાં મહાપ્રભાવશાળી દેવ થાય. [૨૬-૨૯]
આર્થિક આમ પ્રાણની ઉઘાડે છોક હિંસા કરવી, એ સુસંયમી પુરૂષોને છાજતું નથી. જેઓ એવો ઉપદેશ આપે છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org