SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મનાશ શકે છે અને કહે છે કે, પલેક કાણુ જોઈ આવ્યું છે? તેવાં મનુષ્યને ગમે તેટલું સમજા પણ તેઓ પિતાનાં વિષયસુખે છેડી શકતાં જ નથી. નબળા બળદને ગમે તેટલે મારે મૂડે, પણ તે આગળ ચાલવાને બદલે ઊલટો ગળિયો થઈને બેસી પડે છે. તેના જેવી દશા વિષયરસ ચાખેલા મનુષ્યની છે. વિષય માં લેશમાત્ર સુખ નથી તથા તે ક્ષણભંગુર છે, એમ જાણવા છતાં, તથા આયુષ્ય પણ તેવું જ હોવા છતાં, તેઓ છેવટ સુધી તેમને વળગી રહે છે. અને અંતે, તે ભોગને કારણે કરેલાં હિંસાદિ અનેક પાપકર્મોનાં ફળ ભોગવવા, તેમને હીન આસુરી ગતિને પામવું પડે છે. તે વખતે તેઓ પસ્તાય છે અને વિલાપ કરે છે. આવાં મનુષ્યો દયા ખાવા જેવાં છે. કારણ, તેઓ જ્ઞાનીઓએ ઉપદેશેલા મોક્ષમાર્ગને જાણતાં નથી; તેમજ સંસારનું સત્ય સ્વરૂપ પ્રત્યક્ષ કરી, જેણે તેમાંથી છૂટવાને માર્ગ બતાવ્યા છે, તેવા મુનિના વચન ઉપર પણ તેમને શ્રદ્ધા નથી. અનંત વાસનાઓથી ઘેરાયેલા તે અંધ મનુષ્યો પિતાની અથવા પિતાના જેવી બીજાની અંધતાને જ જીવનભર અનુસર્યા કરી, ફરી ફરી મોહ પામ્યા કરે છે અને સંસારચક્રમાં ભટક્યા કરે છે. [૨-૧૨] માટે, વિવેકી પુરુષે ગૃહસ્થાશ્રમ દરમ્યાન પણ, પિતાની ચોગ્યતાનુસાર અહિંસાદિ વ્રત પાળવા પ્રયત્ન કરો. અને જેને મહાપુરુએ કહેલા ઉપદેશને સાંભળી, સત્ય માર્ગ ઉપર શ્રદ્ધા જન્મી છે, તેણે તે પ્રવજ્યા લઈ સત્યપ્રાપ્તિ અર્થે જ સર્વ ભાવે પ્રયત્નશીલ બનવું તથા તેમાં સ્થિર થવું. તેણે તે રાગદેષાદિનો ત્યાગ કરી, મન વચન અને કાયાને સંયમમાં રાખી, નિરંતર પરમાર્થપ્રાપ્તિમાં જ મંડયા રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy