________________
મહાવીરસ્વામીને સંયમધમી વર્ચવામાં આવતા હતા તે જમાનામાં આટલા સીધા સરળ, સિદ્ધાંત લઈને હાજર થવું, એ ભારે બહાદુરીની વાત છે. સાચે જ જૈન તો એ જમાનામાં ગાંધીજીના રેંટિયા જેવાં લાગતાં હશે. અને છતાં વ્યાપક યંત્રયુગના વીસમી સદીના જમાનામાં એ સીધા સાદા રેંટિયાને પ્રજા સમક્ષ ધરનાર મહાપુરુષની હિંમત વખાણવી કે તેની પાછળ રહેલું સત્ય વખાણવું?
મહાવીર ભગવાને જે સિદ્ધાંત પ્રજા આગળ રજૂ કર્યા. તેમાં કાંઈ જ નવીન નહોતું. એ સિદ્ધાંતે ત્યાર આગમચ જુદા જુદા વાદમાં જુદે જુદે સ્વરૂપે સ્વીકારવામાં આવેલા જ હતા. ઉપનિષદોમાં તેમને એકેએક સિદ્ધાંત આવી ગયેલો બતાવી શકાય તેમ છે. છતાં, અગત્યની વસ્તુને બીજી બિનઅગત્યની અથવા તો અંતિમ અવસ્થાની તથા. વિરલા જ અનુભવી શકે તેવી વસ્તુઓ સાથે ભેળવી દેવાથી પ્રજાને જે બુદ્ધિભ્રંશ થતું હતું, તે જોઈ લઈ આવશ્યક વસ્તુઓ જ પ્રજા આગળ મૂકવાની વિચક્ષણતા અને કુશળતા બતાવનારે, નવું નથી કર્યું એમ પણ કેમ કહી શકાય ? અને નવું છે કે ન હો, પણ તેમણે જે કર્યું તે કેટલું અગત્યનું હતું તે વિષે તે બે મત હોઈ શકે જ નહિ. તે મહા–વીરના પ્રબળ પુરુષાર્થથી સેંકડોથી ગણાતા વાદીઓનાં અને હજારની સંખ્યામાં ગણાતા તેમના અનુયાયીઓનાં નામ પણ અત્યારે હંમેશને માટે ભારતવર્ષના ઇતિહાસમાંથી લુપ્ત થઈ ગયાં છે.
પરંતુ મહાવીર ભગવાનને ઉપર જણાવેલા અક્રિયાવાદીઓ, અજ્ઞાનવાદીઓ કે વિનયવાદીઓ સાથે જ યુદ્ધ કરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org