________________
ઉપઘાત નહેતું. તે જમાનામાં ક્રિયાવાદી કહી શકાય તેવા વાદીએ પણ પિતાની કાંઈક શિથિલતા અથવા પ્રમાદને કારણે લેકીને તેમની અધોગતિમાં ઓછી મદદ કરી રહ્યા નહોતા. એ વાત તે બધા જ કબૂલ કરી શકે છે, કઈ પણ ક્રિયાના સારા નરસા પણાને આધારે તેના બાહ્ય પરિણામ કરતાં તેની પાછળ રહેલા હેતુઓ ઉપર વધારે રહેલો છે. ડૂબતા માણસને બચાવવા કેાઈ પૂરમાં ઝંપલાવે; તે ભલે અંતે તેને બચાવી ન શકે, પરંતુ તેથી કરીને તિના પ્રયત્નની કિંમત કાંઈ ઓછી થઈ શકે નહિ. પરંતુ
જ્યારે માનસિક હેતુઓની શુદ્ધતાના બહાના હેઠળ શારીરિક ક્રિયાઓ તરફ દુર્લક્ષ કરવામાં આવે, અથવા તે અપ્રત્યક્ષ રીતે પણ જાણી જોઈને પાપક્રિયા જ કરવામાં આવે, ત્યારે એ સિદ્ધાંતને પડતો મૂકી, બાહ્ય ક્રિયાને પણ તેટલી જ અગત્યની ગણી તેના ઉપર ભાર મૂકે પડે.
અત્યારે જૈન લોકોની જંતુઓ ન મરવા દેવા માટેની વધારે પડતી કાળજી જોઈ તેમની ઓછી ઠેકડી નથી કરવામાં આવતી. તે વખતે પણ સમકાલીન બૌદ્ધો વગેરેએ તેમની ઓછી ઠેકડી નથી કરી. અજાણતાં થતી હિંસાની ક્ષમ્યતા કદાચ આપણે સ્વીકારી શકીએ. પણ કઈ હિંસાને અજાણતાં થયેલી ગણવી તેને વિષે એકમત થવાય ખરું? અને તેનો દુરુપયોગ કરવા ઈચ્છનારાને એ સિદ્ધાંત હેઠળ ઊંટના ઊંટ ચાલ્યાં જાય તેવા દરવાજ ન મળી આવે ? સૂત્રકૃતાંગમાં જે વર્ણન મળે છે, તે ઉપરથી ચોખ્ખું દેખાઈ આવે છે કે, તે વખતે ભિક્ષુએ અચૂક તે પ્રમાણે કરવા જ લાગ્યા હતા. એટલે ભગવાન મહાવીરે ઠેકડીનું જોખમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org