________________
ઉપઘાત જીવ અને અજીવ એ બે 0 સ્વીકાથી એલેક બંનેનાથી શક્ય બનતી ક્રિયાને કારણે જીવ કર્મયુક્ત બનવાને. જૈન માન્યતામાં કર્મ એ ભૌતિક રજકણ જેવી વસ્તુ છે. અને શુભ અશુભ દરેક પ્રકારની ક્રિયા વખતે તે સૂક્ષ્મ કરજકણે આત્મામાં દાખલ થાય છે અને તેલવાળા શરીર ઉપર ધૂળ ચાટે તેમ તેને ચેટે છે. એ કર્મ રજકણેથી જીવાત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ મલિન - થયેલું છે. બીજા શબ્દોમાં, તે કર્મ રજકણો આત્માના
શુદ્ધ સ્વરૂપને આવરે છે, અને તેને કારણે જીવ વિવિધ વાસનાઓ અને અપૂર્ણતાઓવાળો બને છે. આમ વિવિધ ક્રિયાઓ દ્વારા કર્મને આત્મામાં “આસ્રવ થત હોવાથી ત્રીજું તત્ત્વ તે “આસવ.” આસવ એ જીવ અજીવ જેવો પદાર્થ ન હોવા છતાં તેને તવ કહેવાનું કારણ એ છે કે, અહીં તત્ત્વને અર્થ “મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી એવું ય ” એવો લેવામાં આવ્યો છે. “આસ્રવ ની વાસ્તવિકતા સ્વીકારે એટલે બંધની વાસ્તવિકતા પણ સ્વીકારવી જ જોઈએ. એટલે બંધ” એ શું તત્વ. પરંતુ પ્રબળ પુરુષાર્થથી કર્મરાજને આવતી રોકી શકાય અને સમૂળગી નષ્ટ પણ કરી શકાય. એટલે “સંવર” અને “નિર્જરા” એ પાંચમું તથા ૬ હું તત્ત્વ થયાં. અને કર્મરાજ નષ્ટ થતાં આત્મા તેના બંધનમાંથી મુક્ત થાય, એટલે સાતમું “મેક્ષ તત્વ પણ આવીને ઊભું રહ્યું.
વાચક જોઈ શકશે કે આ તોની આખી સંકલના તથા તેમનું સ્વરૂપ ન્યાયશાસ્ત્રની આવશ્યકતા અનુસાર નહિ, પરંતુ મોક્ષાર્થે પુરુષાર્થની શક્યતા બતાવવા અથવા ક્રિયાવાદની આવશ્યકતા અનુસાર કલ્પવામાં આવ્યાં છે. જે જમાનામાં તત્ત્વજ્ઞાનના સિદ્ધાંત સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org