SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્તિ ઉ૫૦ પા૰ ૪૪–૭: આ પુસ્તકના ઉપાદ્ધાતમાં (પા. ૪૪ તથા ૪૭) જણાવ્યું છે કે ભગવાન મહાવીરના જન્મ ઈ. સ. પૂ. ૫૯૯ માં થયા હતા અને તે ઈ. સ. પૂ. પર૭ માં એટ્લે કે બુદ્ધી ૫૦ વર્ષ પહેલાં નિર્વાણ પામ્યા હતા. સામાન્ય રીતે અત્યાર સુધી જૈનપર પરામાં એ જ સમય સ્વીકારાતે આવ્યા છે અને અર્વાચીન વિજ્ઞાનાનાં પુસ્તકામાં પણ માટે ભાગે સ્વીકારાય છે. પરંતુ થોડા સમય થયાં, તે બાબતમાં એક અગત્યની ચર્ચા રારૂ થઈ છે. તેને કાંઈ છેવટના નિણૅય આવી ગયા છે એમ તે ન જ કહેવાય, પણ તે ચર્ચા કચા મુદ્દાઓ ઉપર ચાલે છે તેના કાંઈક ખ્યાલ આપવા સારુ, તે ચર્ચાવાળો એક લેખમાલાના ટૂંક સાર અહીં આપ્યા છે.૧ પ્રખ્યાત જૈન લેખક મેરુતુગે વિ. સ. ૧૭૬૧ એટલે કે ઇ. સ. ૧૩૦૪ માં ‘ પ્રબંધચિ'તામિણ ’ ગ્રંથ રચ્યા અને બે વર્ષ માદ ‘વિચારશ્રેણી ’ગ્રંથ રચ્યા. તેમાં તેમણે વીર સવત અને વિક્રમ સંવતની ગણતરી જણાવતાં નીચેના અર્થના શ્લોકો ટાંક્યા છે: જે રાત્રે અ ંત્ તી "કર મહાવીર નિર્વાણ પામ્યા, તે રાત્રે અવન્તીના રાજા પાલકના રાજ્યાભિષેક થયેા. પાલક રાજ્યનાં ૬૦ વર્ષ અને નંદ્ન ( રાજ ) નાં ૧૫૫; ૧૦૮ મૌર્યાંનાં અને પુષ્યમિત્રનાં ૩૦; બલમિત્ર અને ભાનુમિત્રનાં ૬૦, તથા નભાવાહનનાં ૪૦; ગભિલનાં ૧૩ વર્ષ અને રાકનાં ૪,’ ૧. મૂળ માટે જીએ ઇડિયન એન્ટીકવરી ' વર્ષ ૧૯૧૪, : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy