________________
કેટલીક સદાચારધાતક માન્યતાઓ ૨૧૯ ઉપાદાન અને નિરોધ, કર્મોનું ફળ અને તેમને નાશ, ક્રિયા-અક્રિયા, ક્રોધ-માન, માયા-લેભ, રાગ-દ્વેષ, ચાર ગતિવાળો સંસાર, દેવ દેવી, સિદ્ધિ-સિદ્ધિ, સિદ્ધ થયેલાનું ખાસ સ્થાન, સાધુ-અસાધુ, તથા કલ્યાણ અને પાપ છે એવો નિશ્ચય કરે, પરંતુ નથી એ નિશ્ચય ન કરે. કલ્યાણું કે પાપ એ બેમાંથી એકને જ સ્વીકારવાથી વ્યવહાર કે પુરુષાર્થ ઘટી શકતાં નથી. જે શ્રમણ અને અવિવેકી પંડિતે તે બેમાંથી એકને જ સ્વીકારે છે. તેઓ કર્મથી થતું બંધન જાણતા નથી. [૧૨–૨૯]
બધું અક્ષય છે, કે બધું દુ:ખરૂપ છે, તથા પ્રાણને વધ કરવું જોઈએ કે ન કરવો જોઈએ એવી વાણી ન બોલવી; અમુક ભિક્ષુઓ સદાચારી છે અને અમુક મિથ્યાચારી છે એ અભિપ્રાય ન બાંધ; દાન દક્ષિણ મળે છે કે નથી મળતી એવું બોલ્યા ન કરવું. પરંતુ બુદ્ધિશાળી મનુષ્ય પિતાની શાંતિનો માર્ગ વધતું જાય તેની કાળજી રાખવી. [૩૦-૩૨]
જિન ભગવાને ઉપદેશેલા આ અભિપ્રાયો મુજબ આચરણ કરત સંયમી પુરુષ મોક્ષ પ્રાપ્ત થતા સુધી વિચરે. [૩]
આમ કહી, શ્રી સુધર્મસ્વામી થોભ્યા.
૧. લોકની ટોચ ઉપર આવેલી સિદ્ધશિલા. કર્મોના ભારથી દબાયેલે આત્મા આ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. પરંતુ કર્મોને ભાર દૂર થતાં તે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી ઊંચે ચાલ્યો જાય છે અને લોકની ટોચે જઈ પહોંચે છે. ત્યાંથી આગળ ગતિ સ્થિતિ સહાયક ત ન હોવાથી તે ઉપર જઈ શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org