SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ જે વસ્તુને અનેક ધર્મો યુકત સ્વીકારી લઈ, તેને વિષે અનેક સાપેક્ષ કથને થઈ શકે એમ સ્વીકારી લઈએ, તે વસ્તુ પણ કાયમ રહે અને આપણે વ્યવહાર પણ ચાલે. જેમકે, આત્મા બધા ફેરફારમાં કાયમ રહે છે માટે તે ફૂટસ્થ નિત્ય છે એમ જ કહેવું એ જેમ બેટું છે, તેમ આત્મા જે ફેરફાર રૂપે દેખાય છે તે ક્ષણિક પર્યાયો જ સાચા છે અને તે ફેરફાર પાછળ નિત્ય કાયમ રહેનારી આત્મા જેવી વસ્તુ છે જ નહિ એમ કહેવું એ પણ છેટું છે. અને આમ નિત્ય આત્મા. પણ નથી, તથા ક્ષણિક પણ નથી એમ દેખી, આત્મા જેવી વસ્તુ જ છે કે નહીં એમ કશું કહી શકાય તેમ નથી એમ માની લેવું, એ પણ ખોટું છે. તેને બદલે દરેક વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયાત્મક છે, તેથી દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાય રૂપે અનિત્ય છે એમ માનીએ, તો વસ્તુ પણ કાયમ રહે અને આપણે વ્યવહાર પણ કાયમ રહે.” ૬. વિનયવાદઃ આ વાદને અર્થ સમજવામાં ઘણી સમફેર થતી જોવામાં આવે છે. વિનય એટલે ચાર વિષયક વિધાન. જૈન “વિનયવાદ જેવો જ બૌદ્ધ શબ્દ “સીલબતપરામાસ” છે. ધમ્મસંગણીમાં આ વાદને વર્ણવતાં જણાવવામાં આવ્યું છે કે, “આ લેકે માત્ર આચારના અમુક નિયમ પાળવાથી જ શીલશુદ્ધિ થાય છે એમ માને છે.” બુદ્ધ કહે છે કે, “અશિક્ષિત લોકે મને કેટલીક તુચ્છ અને બિનઅગત્યની વસ્તુઓ માટે વખાણે છે. જેમકે તેઓ કહે છે કે, ગૌતમ પ્રાણવધ અને જીવહિંસાને ત્યાગ કરનાર હોઈ, કેઈ આપે તેટલું જ લે છે . . . ઈત્યાદિ. પરંતુ આવી પૂલ બાબતે કરતાં બીજી વધુ મહત્ત્વની, સૂક્ષ્મ અને ગહન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy