SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદઘાત ૩૯ વસ્તુઓ માટે ખરી રીતે તથાગતને વખાણવો જોઈએ.' ઉગ્નેહમાન કહે કે, કાયાથી કાંઈ પાપ ન કરે, વાણીથી કોઈને પીડા થાય તેવા શબ્દો ન બેલે, મનમાં કાંઈ પાપવૃત્તિ ન રાખે અને સદાચારી હોય, તે તે માણસ સંપન્નકુશલ એટલે કે “કરવાનું બધું કરી ચૂકેલે” કહેવાય.” ત્યારે બુદ્ધ કહ્યું કે, જે એમ હોય તે તરત અવતરેલું બાળક બધા નીતિનિયમો પાળનાર, સદાચારી, કૃતકૃત્ય, સંપન્નકુશલ અને અનુપમ શ્રમણ કરે. કારણ તેને શરીરનું ખાસ ભાન હેતું નથી કે જેથી તે કાયિક પાપ કરે. તેને ભાષા જ નથી હતી એટલે વાચિક પાપ પણ તે ક્યાંથી કરે છે અને તેને મન પણ નથી હોતું એટલે મલિન વૃત્તિ પણ ક્યાંથી રાખે? કેટલાક લેકે આચાર ઉપર જ ભાર મૂકી, આચારનું મૂળ જે જ્ઞાન, તેના તરફ દુર્લક્ષ કરતા. તેમને વિરોધ કરીને બુદ્દે જણાવ્યું છે કે, માત્ર પાપકૃત્ય ન કરનાર માણસ ધાર્મિક ન કહી શકાય. તે કહેતા કે, ચેતના વરામિ કમ્મ. યાજ્ઞવલ્કયે પણ કહ્યું છે કે, જે સંકલ્પ તેવું કર્મ.” કઈ પણ કર્મને કર્મ ત્યારે જ કહેવાય કે, જ્યારે તે મનુષ્યના સંકલ્પમાંથી નીપજ્યું હોય, તેની પાછળ અમુક હેતુ હોય, અને તે અમુક નિશ્ચિત લક્ષ્ય સિદ્ધ કરતું હેય. તે જમાનામાં સ્મૃતિકાએ આચારના અમુક વિધિઓના પાલન ઉપર જ ભાર મૂકવા માંડ્યો હશે તથા લેકો પણ તે વિધિઓના પાલનને ધર્મસર્વસ્વ માની, તે આચારના હેતુ અને લક્ષ્ય તરફ બેદરકાર બન્યા હશે, એટલે મહાવીર વગેરેને તેમની સામે વિરોધ કરવો પડ્યો હશે. તત્વાર્થરાજવાર્તિકમાં વિનયવાદીઓનાં જે નામ આપ્યાં છે, તેમાં સ્મૃતિકારે જેવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy