________________
૪૦
મહાવીરસ્વામીના સચમયમ
નામે જ આપણને મુખ્યત્વે જણાઈ આવે છે. . જેમકે : વસિષ્ઠ, પારાાર, જાતુર્માણ, વામીકિ, રોહિં, સત્યદત્ત, વ્યાસ, શૈલાપુત્ર, ઔપમન્યવ, ચંદ્રદત્ત, અયસ્ફૂર્ણ ઇત્યાદિ.
६
આ
બધા વાદાના અને વાદીઓને પરિચય અહીં સુધી કરતા આવેલા વાચકને એટલુ લાગ્યા વિના તે। નહિ રહે કે, જે જમાનામાં આવી ધૃષ્ટ કલ્પના અને એટલા જ ધૃષ્ટ આચારા શક્ય બન્યાં હશે, તે જમાના, બીજું કાંઈ નહિ તા તાત્ત્વિક સિદ્ધાંતાની બાબતમાં બહુ ઉત્સુક હાવા જોઈ એ. એક પછી એક વાદીએ પેાતપેાતાના વાદા અને અનુયાયીઓનાં ઝૂંડ લઈને, ગામ બહાર ઉદ્યાનમાં આવીને પડાવ નાખતા હોય અને પોતપોતાના વાદાના ઉપદેશથી અને આચારથી એધડક પ્રચાર કરતા હોય, તે વસ્તુસ્થિતિ શક્ય બનવાને એટલું તો કબૂલ રાખવું જ જોઈએ કે, આમપ્રજા એ બાબતમાં કાંઈ પણ સાંભળવાને, જાણવાને ક આચરવાને ઉત્સુક તા હતી જ. તે વખતના બધા જ વાદીએ લોકભાષામાં જ પોતપેાતાના સિદ્ધાંતા કહેતા માલૂમ પડે છે તેના અર્થ પણ એ જ છે. તત્ત્વજ્ઞાન અમુક વ કે શાસ્ત્રોની જ મિલકત ગણાતું હોય, ત્યાં આવું ન બને. તે વખતનું બધું તત્ત્વજ્ઞાન આમપ્રજા માટે છે, તથા આમપ્રજાને ઉદ્દેશીને ખેાલાયેલું છે. તે વખતની એધપતિ પણ એવી જ અનુરૂપ હેાતી. સૂત્રકૃતાંગમાં જીવહિંસાની કરપીણતા બતાવવા આપણા તત્ત્વજ્ઞ, અધા બેઠા હૈાય છે ત્યાં બળતા અંગારાની ભરેલી લેાઢાની કઢાઈ લાવીને ધરે છે અને દરેકને તે કઢાઈ ખુલ્લા હાથ વડે પકડવાનું કહે છે. બધા દાઝવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org