________________
જુદા જુદા વાદીએ
૧૩૫ શકાતું નથી. અથવા તે બંનેથી ભિન્ન એવું પણ કાંઈ કહી શકાતું નથી. આમ,) આ અજ્ઞાનવાદીઓ દલીલે કરવામાં કુશળ હોવા છતાં, અસંબદ્ધ બેલનારા છે. તેઓ પોતે જ શંકાને પાર પામ્યા નથી હોતા. તેઓ પોતે અજ્ઞાન હોઈ અજ્ઞાન લેકેને ખોટું ખોટું સમજાવે છે. [૨]
(વિનયવાદીઓ આચારની કેટલીક તુચ્છ અને બિનઅગત્યની વસ્તુઓને જ સર્વસ્વ માની, તેમાં વ્યાપચ્યા રહે છે. તે સિવાય બીજું કાંઈ તેઓ દેખી શકતા જ નથી.) આમ સત્યને અસત્ય સમજનારા અને અસાધુને સાધુ કહેનારા એ વિનયવાદીઓ, કોઈ પૂછે એટલે પિતાને સિદ્ધાંત અચૂક કહેવા લાગે છે. [૩]
(અક્રિયાવાદીઓ તે ક્રિયામાં કે તેના ફળમાં જ નથી માનતા. તેમનામાંના કેટલાક આત્માને નિષ્ક્રિય માને છે. કેટલાક આત્મામાં જ માનતા નથી, જ્યારે બીજા કેટલાક જગતને જ માયારૂ૫ માને છે અથવા ઈશ્વર, નિયતિ કે કાલ વગેરેને બધી ક્રિયાઓ માટે જવાબદાર માની, પ્રાણી કાંઈ કરતું નથી અથવા કરી શકે તેમ નથી, એમ માને છે.) આમ, કર્મ અને તેમનાં ભવિષ્યમાં થનારા ફળથી ડરનારા અક્રિયાવાદીઓ “ક્રિયા જ નથી ” એમ કહે છે. પિતે જ જણાવેલા તત્ત્વમાં પિતે ચોકસ ન હોવાથી, તેઓ એમ કહે છે કે, “આ વસ્તુ આમ અમને દેખાય છે.” કઈ કંઈ પૂછે તે તેઓ કશું ચોકસ કહી શકતા નથી; પણ “આ બે પક્ષવાળું છે,' “આ એક પક્ષવાળું છે' એમ કહ્યા કરે છે. અને કર્મ છે ઇકિ. કરે છે (અમે કરતા નથી) એમ કહે છે. અબૂજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org