________________
ઉપાદુઘાત આપણને ઉપનિષદોમાં મળે છે. નચિકેતા જેવા કુમારે પણ મૃત્યુના મુખમાં ઊભા ઊભાય એ જ પ્રશ્નનો નિવેડે લાવવાની ઈંતેજારી દાખવી રહ્યા હોય છે.
પરિણામે, “તે મૂળતત્ત્વ શું છે એ પ્રશ્નના સેંકડે ભિન્ન ભિન્ન જવા ઉપનિષદોમાં આપણને મળે છે. કેઈએ તે શોધ ભૌતિક ક્ષેત્રોમાં ચલાવી હોય છે, તો કેઈએ માનસિક ક્ષેત્રમાં. પરંતુ અંતે સર્વને “અમૃત જોઈએ છીએ અને તે બધી શોધ તે કસેટીએ કસાય છે. તેથી કોઈ એકાદ તત્વ શોધી કાઢી અટકી પડનારે શોધક પિતાનું તત્ત્વ હજુ અધૂરું છે એવું લાગતાં, બીજા જાણકાર પાસે વિના આડંબરે, નમ્રતાથી અને શ્રદ્ધાથી દડી જાય છે.
ઉપનિષદકાળમાં થયેલી એ જુદી જુદી છે અને નિર્ણનું વૈવિધ્ય જેનાં નવાઈ પામી જવાય છે. કેટલાક પાણને જગતનું મૂળકારણ માને છે (બૃહ. પ. પ. ૧); કેટલાક વાયુને (છાં ૪. ૩. ૧- ૨); કેટલાક આકાશને (છાં. ૧. ૯, ૧); કેટલાક પ્રાણને (છાં. ૪. ૩. ૩); કેટલાક અસતને (તે. ૨. ૧); કેટલાક મૃત્યુને (બુ. ૧. ૨ ૧ – ૨); કેટલાક અંડને (છો. ૩. ૧૯. ૧-૩); કેટલાક સતને (છો. ૬. ૨. ૧ –- ૪); કેટલાક પ્રજાપતિને (પ્ર. ૧. ૩ – ૧૩): કેટલાક આત્માને (બ. ૧. ૪ ૧ – ૪); કેટલાક અમૂર્ત પુરુષને (મું. ૨. ૧, ૨ – ૮); તે કેટલાક ઈશ્વરને (વે. ૩. ૨) સર્વનું કારણ માને છે.
માનસિક ક્ષેત્રમાં પણ તેમણે જુદા જુદા મુદ્દાઓ ઉઠાવેલા આપણે જોઈએ છીએ. મરણ બાદ મનુષ્યનું શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org