SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ ટિપણે ટિપ્પણું નં. ૧ઃ ટીકામાં આર્દક કુમારની વિસ્તૃત જીવનસ્થા આપેલી છે. તેને સારાંશ આ પ્રમાણે છે : મગધદેશમાં વસંતપુર ગામમાં સામાયિક નામને ગૃહસ્થ રહેતો હતો. ક્રમે ક્રમે સંસારથી વિરાગ પામી તે પિતાની સ્ત્રી સાથે ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષા લઈ સાધુ થ. એક વખત સાધ્વી બનેલી પોતાની સ્ત્રીને જોઈ તેને મેહ ઉત્પન્ન થયો. એ વાતની જાણ તેની સ્ત્રીને થતાં, પિતાને કારણે પોતાને પતિ વ્રતભંગ થશે એમ માની, તે સ્ત્રીએ ખાવાપીવાનું છોડી પ્રાણત્યાગ કર્યો. પેલા સાધુએ પણું એ બનાવથી ખિન્ન થઈ, એ જ રીતે પ્રાણત્યાગ કર્યો. બીજે જન્મ પિલી સાથ્વી વસંતપુરમાં એક શેઠની પુત્રી તરીકે જન્મી અને પેલે સાધુ આકપુરના રાજાનો પુત્ર આર્દકકુમાર થયે. એક વાર તે કુમારે પોતાના પિતાને પોતાના મંત્રી દ્વારા શ્રેણિકરાજાને અમૂલ્ય ભેટ મોકલતો . એટલે કુતુહલવશાત્ તેણે પણ તે રાજાના પુત્ર માટે પિતા તરફથી કંઈક ભેટ મોકલી. તેથી ખુશ થઈ, શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે બદલામાં આદિનાથની સુવર્ણપ્રતિમા આદ્રકને મોકલાવી. તેને દેખતાં આ કના પૂર્વ સંસ્કારો જાગ્રત થઈ આવ્યા અને તે સંસાર છોડી ચાલતો થયે. ફરતો ફરતો તે એક વાર વસંતપુરમાં પેલા શેઠના જ બગીચામાં ધ્યાન ધર બેઠો હતો. ત્યાં તે શેઠની પુત્રીએ તેને જોયો. તે પોતાની સખીઓ સાથે બાલક્રીડા કરતી હતી. રમતમાં પોતાને વરની પસંદગી કરવાની આવતાં તેણે તે સાધુને પગ પકડી પોતાના પતિ તરીકે પસંદ કર્યો. વખત જતાં તે કન્યા ઉમરલાયક થઈ. ત્યારે તેને પિતા તેને માટે વરની તપાસ કરવા લાગે. એટલે તે કન્યાએ તેને પોતે નાનપણમાં રમત દરમ્યાન કરેલી પસંદગીની વાત કરી; અને જણાવ્યું કે, હવે હું બીજા કોઈને મારા પતિ તરીકે સ્વીકારીશ નહિ. પિતાએ તેને ઘણું ઘણું સમજાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy