________________
કર્મનાશ મનુષ્ય જીવન દરમ્યાન કામજોગોમાં તેમજ સ્ત્રીપુત્રાદિના સ્નેહમાં અટવાઈ રહે છે. તથા પિતાને તેમજ પિતાનાં સંબંધીઓને માટે અનેક સારાનરસાં કર્મો કર્યા કરે છે. પરંતુ દેવ ગાંધર્વ સર્વને આયુષ્ય પૂરું થયે, ન ગમતું હોવા છતાં, પિતાના પ્રિય સંજોગો અને સંબંધ છેડીને અવશ્ય જવું પડે છે; તથા પિતપોતાનાં કર્મનાં ફળ જાતે એકલા ભોગવવા પડે છે. તે વખતે રાજ્યવૈભવ, ધનસંપત્તિ, શાસ્ત્રજ્ઞાન, ધર્મજ્ઞાન, બ્રાહ્મણપણું કે ભિક્ષુપણું કોઈને પિતાનાં પાપકર્મનાં ફળમાંથી બચાવી શકતાં નથી. માટે, વખત છે ત્યાં સુધી, એ શુદ્ર તથા દુઃખરૂપ કામગથી નિવૃત્ત થઈ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. જેથી, કર્મો તેમજ કર્મોના હેતુઓનો નાશ કરી, તમે આ દુ:ખચક્રમાંથી મુક્ત થઈ શકે. [૧-૭] આ અંતવાન જીવિત દરમ્યાન મૂઢ મનુ જ જગતના કામોમાં મૂર્ણિત રહે. સમજુ પુરુષે તે ઝટપટ તેમાંથી વિરત થઈ, પરાક્રમ અને પુરુષાર્થપૂર્વક નિર્વાણપ્રાપ્તિનો માર્ગ હાથ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. [૧૦,૧૨]
પરંતુ, એ કર્મનાશને માર્ગ ઘણો સુક્ષ્મ તથા દુર્ગમ છે. ઘણય મનુષ્યો તે જ્ઞાન પ્રાપ્ત કરવાને ઈરાદે સંન્યાસી થઈ, ભિક્ષાચર્ચા સ્વીકારે છે, નગ્નાવસ્થા સ્વીકારે છે, તથા મહિના મહિનાને આંતરે ખાવારૂપી કઠોર તપશ્ચર્યાઓ કરે છે. પરંતુ પિતાની આંતર કામનાઓ નિર્મૂળ ન કરી શકતા હોવાથી, તેઓ કર્મચક્રમાંથી મુક્ત થવાને બદલે, તેમાં ને તેમાં રહેંસાયા કરે છે. મનુષ્ય પ્રથમ જ્ઞાની પુરુષનું શરણ સ્વીકારી, તેમની પાસેથી ગ્ય માર્ગ જાણે, તેમણે બતાવેલા માર્ગે પ્રયત્નપૂર્વક તથા યોગયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org