________________
મહાવીરસ્વામીને સંયમધમ બની, આગળ વધવું. સામાન્ય માર્ગ ઉપર ચાલવામાં જ કેટલી આંટીઘૂંટી જાણવાની હોય છે ? તે પછી, આ કર્મનાશના દુર્ગમ માર્ગે જતાં ગોથાં ન ખાઈ જવાય તે માટે, પ્રથમ એ માર્ગના ભેમિયા પુરુષનું શરણ સ્વીકારવું જોઈએ. વળી સામાન્ય જીવનવ્યહારમાં જેમ અનેક મુશ્કેલીઓ સહન કરવાની હોય છે, તેમ જેને આત્માનું હિત સાધવું છે, તેને એ માર્ગે જતાં કેટલીય મુશ્કેલીઓને વીરતા પૂર્વક સામનો કરવાનું હોય છે. એ બધાથી ગભરાઈ ગયે કેમ ચાલે ? તેણે તો, છાણાં થાપેલી દીવાલ જેમ છાણ ઉખાડી નાખવાથી પાતળી થઈ જાય, તેમ પિતાનાં શરીર મનનાં પડ વ્રતસંયમાદિથી ઊખડી જવાથી, તે બંનેને કૃશ થઈ જતાં જેવાનાં છે. એ બધું કાંઈ સહેલું નથી. જે સાચે વૈરાગ્યવાન તથા તીવ્ર મુમુક્ષુ છે, સંત પુરુષોએ શાસ્ત્રમાં બતાવેલ માર્ગને જે અનુસરે છે, તથા જે કહેર તપસ્વી છે, તે જ ધૂળથી છવાયેલી પંખિણીની પેઠે પિતાનાં કર્મ ખંખેરી નાખી શકે છે. બીજું કોઈ નહીં. [૮–૯, ૧૧, ૧૩–૧૫].
સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા સાંસારિક સંબંધ છેડીને ચાલી નીકળેલા ભિક્ષુને, સૌથી પ્રથમ પિતાના પૂર્વ સંબંધીઓ પ્રત્યેની મમતા દૂર કરવી પડે છે. કોઈ વખત ભિક્ષા માગવા તે પિતાને ઘેર આવી ચડે છે, ત્યારે તે બધાં તેને સામટાં ઘેરી લઈ વિનંતિઓ, કાકલૂદીઓ અને રુદન વગેરેથી સમજાવવા લાગે છે. વૃદ્ધ માતપિતા વગેરે તેને કરગરતાં કહે છે કે, “અમને આમ અસહાય છેડી જવાને બદલે અમારું ભરણપોષણ કર. એ તારી સૈાથી પહેલી ફરજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org