SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને સંયમ ધર્મ અને પરિતાપ આપે છે. તથા તેમ કરતાં જીવનભર જરા પણ વિરમતા નથી. આ પ્રમાણે, સ્ત્રી વગેરે કામગોમાં આસક્ત તથા મૂર્ણિત એવા તે લેકે થોડો આવા વધુ સમય તે કામભોગે ભગવી, અનેક વેરબંધને અને પાપકર્મો ભેગાં કરી, આયુષ્ય પૂરું થયું, પથ્થર કે લોઢાનો ગોળ જેમ પાણીને તળિયે જઈને બેસે, તેમ પૃથ્વીતળ વટાવી, નીચે આવેલાં નરકને તળિયે જઈને બેસે છે. તે નરક અંધકાર, રુધિર, પરુ વગેરેથી ભરેલાં, ગંદાં, અસહ્ય દુર્ગધવાળાં તથા દુખે તરી શકાય તેવા અશુભ અને ભયંકર હોય છે. ત્યાં તેમને ઊંધ, સ્મૃતિ, રતિ, ધતિ કે મતિથી રહિત થઈ, અપાર વેદનાઓ સતત ભોગવવી પડે છે. પર્વત ઉપરનું ઝાડ કાપી નાખતાં જેમ નીચે ખાઈમાં ગબડી પડે, તેમ તેઓ એક યોનિમાંથી બીજી એનિમાં, અને એક નરકમાંથી બીજા નરકમાં લાંબા કાળ સુધી અપાર દુઃખ ભોગવતા ભટક્યા કરે છે. અને ત્યાંથી છૂટીને પણ તેઓ ઝટ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. [ હવે ધર્મરૂપી બીજું સ્થાન ફરી ટૂંકામાં કહે છે: ] અહીં જગતમાં કેટલાક લેકે મેટી ઇચ્છાઓ, આરંભે તથા પરિગ્રહ વિનાના, ધાર્મિક, ધર્મિષ્ટ તથા ધર્મપૂર્વક આજીવિકા ચલાવનારા હોય છે. તેઓ સર્વ પ્રકારની હિંસા વગેરે જ્ઞાનને આવરણ કરનારાં, બીજાને પરિતાપ આપનારાં તથા બંધનનાં કારણરૂપ પાપકર્મોથી જીવનભર વિરત થયેલા હોય છે. ઘરને ત્યાગ કરી ચાલી નીકળેલા તે ભગવંત સાધુઓ ચાલવામાં બાલવામાં વગેરેમાં સાવધાનીથી તથા કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005001
Book TitleMahavir swamino Sanyam Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1942
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy