________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ એટલે પિતાના હદયમાંથી મિથ્યાદર્શનરૂપી શૈલ્ય” દૂર થતાં તેઓ ઝટ સમ્યફજ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરી શકયા.
સંઘની વ્યવસ્થાનું કામ સંભાળતાં સંભાળતાં સુધર્મા સ્વામીને ૯૨ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એટલે તેમણે સંઘનું કામ પિતાના શિષ્ય જંબુસ્વામીને સેપ્યું. ત્યારબાદ તે કેવળજ્ઞાની તરીકે આઠ વર્ષ જીવ્યા અને ૧૦૦ વર્ષની ઉંમરે ઈ. સ. પૂ. પ૦૭માં એટલે કે મહાવીરના નિર્વાણ પછી ૨૦ વર્ષે નિર્વાણ પામ્યા.
જંબુસ્વામીને જન્મ રાજગૃહ નગરમાં ત્યાંના પ્રસિદ્ધ શેઠ ઋષભદત્તનાં પત્ની ધારિણીને પેટે થયો હતો. તે નાનપણથી જ ચતુર હાઈ પોતાનાં માતાપિતાને અત્યંત લાડકા હતા. અને માતપિતા પણ પિતાની સર્વ રિદ્ધિસિદ્ધિથી તેમને ઉછેરતાં હતાં. તે સોળ વર્ષના થયા ત્યારે એક વખત સુધર્મસ્વામી ફરતા ફરતા તે ગામમાં આવી ચડ્યા. જંબુસ્વામી પણ બીજાઓની સાથે તેમને ઉપદેશ સાંભળવા ગયા. તે સાંભળતાં જ પોતાના પૂર્વસંસ્કારો જાગૃત થઈ આવવાથી તે સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય પામ્યા અને જલદી માતપિતા પાસે આવી પ્રવજ્યા લેવાની રજા માગવા લાગ્યા. પરંતુ માતપિતા તેવી રજા કેમ કરીને આપે? અંતે માતાએ જણાવ્યું કે, તને પરણેલ જેવાને મારે ઘણો જૂને તેમજ ઉત્કટ મરથ છે. તે પૂર્ણ કરીને પછી ભલે તારી ખુશી હોય તે તું પ્રવજ્યા લેજે. જંબુસ્વામી માતપિતાની યુક્તિ સમજતા હતા છતાં તેમ કરવા કબૂલ થયા. જંબુસ્વામીને વિવાહ સંબંધ ત્યાર પૂર્વે રાજગૃહને જ કેટલાક પ્રસિદ્ધ શ્રેષ્ઠીઓની આઠ કન્યાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org