________________
ઉદઘાત પ્રાણુઓની અપવિત્રતાનું કાંઈ પણ કારણ નથી; કાંઈ હેતુ સિવાય કે કારણ સિવાય જ પ્રાણી અપવિત્ર થાય છે. પ્રાણીઓની શુદ્ધતામાં પણ કાંઈ હેતુ નથી, કે કોઈ પણ કારણ નથી. હેતુ સિવાય, તેમજ કારણ સિવાય જ પ્રાણી શુદ્ધ થાય છે. પિતાના કે બીજાના સામર્થ્યથી કાંઈ પણ થતું નથી. બલ નથી, વીર્ય નથી; પુરુષની શક્તિ અથવા પરાક્રમમાં પણ કાંઈ નથી. સર્વે સરસર્વે પ્રાણી, સર્વે જીવ અવશ, દુર્બલ, અને નિર્વીર્ય છે. તેઓ નસીબ, જાતિવૈશિષ્ટ અને સ્વભાવ અનુસાર બદલાય છે. અને છ માંથી કોઈ પણ જાતિમાં રહીને સર્વ દુઃખને ઉપભોગ કરે છે. . . .
“૮૪ લાખ મહાકલ્પના ફેરામાં ગયા પછી ડાહ્યા અને ગાંડા બંનેના દુઃખનો નાશ થાય છે. આ શીલ, વ્રત, તપ અથવા બ્રહ્મચર્યથી અપરિપકવ કર્મોને પદ્મ કરી નાખીશ અથવા “પરિપકવ થયેલાં કર્મોનાં ફળ ભોગવીને નહિ જેવાં કરી નાખીશ” એવું જે કંઈ કહે, તે તે બનવાનું નથી.
૧. “પદાર્થોની વિવિધતાનું કારણ નિયતિ, સગતિ અને ભાવ છે.
૨. ખાટકી, પારધી વગેરે લોકોનો કૃષ્ણ જાતિમાં સમાવેશ થાય છે. ભિક્ષ વગેરે કર્મવાદી લોકોને નીલ જાતિમાં, એક વસ્ત્ર રાખનાર નિરોને લોહિત જાતિમાં, સફેદ વસ્ત્ર પહેરનારા અચેલક આજીવિક શ્રાવકોનો હરિદ્ર જાતિમાં અને નંદ વચ્છ, કિસ, સંકિચ્ચ અને મખલિગોસાલ (આજીવિક સંપ્રદાયના મુખ્ય આચાર્યો) ને પરમ શુક્લ જાતિમાં. જૈનેનો લેશ્યાઓને સિદ્ધાંત આ સાથે સરખાવવા જે છે. તેઓ પણ ગુણકર્મ અનુસાર મને કૃત્તિના આવા રંગભેદ પાડે છે.
૩. એવી જૈન માન્યતાને આ વિરોધ છે. ક્રિયાવાદી ગણાતા બુદ્ધ પણ આ માન્યતાને પ્રબળ વિરોધ (મઝિમનિકાય, ચૂળદુખ – ખબ્ધ સુત્તમાં) કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org