________________
જુદા જુદા વાદે
૭૭. સાચું રહસ્ય ન સમજનારા આ વાદીએ મિથ્યાભાષી છે. તેમને સાચી ઉત્પત્તિની ખબર જ નથી. એમ જાણે કે, આ સંસાર સારાં માઠાં કર્મોનું ફળ છે. પણ એ સાચું કારણ ન જાણનારા પેલા બધા વાદીઓ, તેમાંથી ઊગરવાને માર્ગ તે પછી કયાંથી જ જાણે? [૮–૧૦]
એક બીજા મિથ્યાવાદ વિષે વળી કહું. કેટલાક કહે છે, “શુદ્ધ પાણી જેમ મલિન થઈ શકે, એમ જ પ્રયત્ન કરીને શુદ્ધ નિષ્પાપ બનેલો સંયમી મુનિ પણ પાછો પાપયુક્ત મલિન થાય. તે પછી બ્રહ્મચર્યાદિ પ્રયત્નનું શું ફળ રહ્યું? અને બધા વાદીએ પિતાપિતાના વાદનું ગૌરવ તો ગાય જ ને ! ”૧ વળી કેટલાક સિદ્ધિઓ ( અણિમા, ગરિમાદિ ) નું ગૌરવ કરતા કહે છે, “ જુઓ, અમે તે અમારા સિદ્ધિબળે કરીને સમાધિમાં, ને અોગ થઈ યથેચ્છ આ જગતમાં માણીએ છીએ. ”ર [૧૧-૧૫]
પિતપોતાના સિદ્ધાંતની આવી આવી સમજે રાખીને, તેમાં જ ડૂખ્યા રહેનારા આ બધા અસંયમી લોકે, સંસારના આ અનાદિ ચક્રમાં ગોથાં ખાતા કલ્પ સુધી અધમ અસુરે બની અવતરશે [૧૬]
રાગદ્વેષાદિથી જિતાયેલા આ બધા વાદીઓ પિતાને પંડિત માને છે, અને ત્યાગી સંન્યાસી બન્યા છતાં
૧. દાખલા તરીકે મકખલિ ગોશાલનું એવું કહેવું હતું કે, “પ્રાણીઓ કારણે સિવાય અપવિત્ર થાય છે અને કારણુ શિવાય શુદ્ધ થાય છે; અને શુદ્ધ થઈને પાછાં એમની મેળે અપવિત્ર થાય છે.... "
૨. ટીકાકારના કથા પ્રમાણે શૈવો અને એકદંડીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org