________________
મહાવીર સ્વામીને સંયમ ધર્મ
સાંસારિક ઉપદેશ જ આપ્યા કરે છે. એવા એ મંદબુદ્ધિ પુરુષો તમારું શું ધળી શકવાના હતા ? એટલે, સમજુ વિદ્વાન ભિક્ષુએ એમની સેાબતમાં ન ફસાતાં, નિરભિમાન, નિરાસક્ત થઈ, રાગદેશાતીત એ મધ્યમ માર્ગ લઈને, મુનિજીવન ગાળવું. એવું કહેનારા લોક પણ પડ્યા છે કે, પરિગ્રહી તથા પ્રવૃત્તિમય હોવા છતાં મુક્ત થઈ શકાય. આ ન માનતાં ભિક્ષુએ તો અપરિગ્રહી અને નિવૃત્તિમયનું શરણું લેવું. વિદ્વાન ભિક્ષુએ બીજાને માટે તૈયાર કરેલ આહાર અને ખુશીથી જે આપવામાં આવે તે, રાજી થઈને ભિક્ષામાં લેવો. રાગદ્વેષરહિત થઈ, કોઈને તિરસ્કાર ન કરવો. કેવા કેવા લકવાદો પ્રચલિત હોય છે ! જેમકે, લોક અનંત છે, નિત્ય છે, શાશ્વત છે, અપરિમિત છે, ઈત્યાદિ. વિપરીત બુદ્ધિમાંથી ઊપજેલા કે ગતાનુગતિક ચાલેલા આ અને આવા બધા લેકવાદ ભિક્ષુએ સાવધાન રહીને જાણવા. [૧-૭]
બાકી જ્ઞાનમાત્રને સાર તે આ જ છે કે, કોઈ પણ જીવની હિંસા ન કરવી. પ્રાણુઓનું સ્થાવર હેવું કે
૧. આ જગત અનંત છે કે સાંત છે કાળની અપેક્ષાએ) તથા અપરિમાણ છે (દેશની અપેક્ષાએ) એ પ્રશ્નોની બાબતમાં કોઈ પણ એક છેડે પકડવાની જરૂર નથી; પરંતુ, અપેક્ષાએ બંને દષ્ટિને સમન્વય કર એવું અહીં વિવક્ષિત છે. જુઓ ખંડ ૨, અધ્ય. પ, લે. ૧. ૩ તથા તેના ઉપર નોધ.
બૌદ્ધ ગ્રંથોમાં આવા વાદેને લોકચિંતા શબ્દથી ઓળખવામાં આવ્યા છે. જુઓ દઘનિકાય – બ્રહ્મજા લસુ. ટીકાકાર આ ઉપરાંત લોકવાદોના બીજા દાખલા આ પ્રમાણે આપે છે : “અપુત્રની ગતિ ન થાય,” “કૂતરાં યક્ષ છે,” “ગાયથી મરનાર કે ગાયને મારનારની ગતિ નથી ઇત્યાદિ. •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org