________________
મહાવીરસ્વામીને સંયમ ધર્મ પિતાના પડછાયા જેવો તુચ્છ ગણે છે, અથવા સંન્યાસી ભિક્ષુક થઈને પણ પિતાના બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્ર કે લિચ્છવીર કુળનો ગર્વ કરે છે. તેવા મનુષ્ય સંન્યાસી છતાં ગૃહસ્થીનું આચરણ કરનારા કહેવાય. તેઓને મુક્તિ પ્રાપ્ત થવી અશકય છે. કારણકે, દીર્ઘકાળ સેવેલા જ્ઞાન અને ચારિત્ર સિવાય જાતિ કે કુળ કોઈને બચાવી શકતાં નથી. [૮-૧૧]
ભલેને કઈ ભિક્ષુ ભાષા ઉપર કાબૂવાળે હેય કે પ્રતિભાવાન પંડિત તથા ગાઢ પ્રજ્ઞાવાળા વિચારક હોય, તો પણ, તે જે પિતાની બુદ્ધિ કે વિભૂતિને કારણે મદમસ્ત થઈ, બીજાને તિરસ્કાર કરે, તે તે પ્રજ્ઞાવાન હોવા છતાં સમાધિ પ્રાપ્ત કરી શકે નહિ. માટે ભિક્ષુએ પ્રજ્ઞામદ. તમદ, ગેત્રમદ તથા ચોથે ધનમદ એ ચાર મદ ન કરવા. જે એવા મદ નથી કરતે, તે જ પંડિત છે અને ઉત્તમ સત્ત્વવાળો છે. ગાત્ર વગેરેથી પર થયેલા મહર્ષિએ જ ગોત્ર વિનાની પરમ ગતિને પામે છે. [૧૩-૧૬]
જે ભિક્ષુ સર્વસ્વનો ત્યાગ કરીને તથા લૂખાસુકા મળે તેવા આહાર ઉપર જીવનારો હોવા છતાં, માનપ્રિય અને સ્તુતિની કામનાવાળા હોય છે, તેને એ સંન્યાસ તેની આજીવિકા જ છે. તે ભિક્ષુ જ્ઞાન પામ્યા વિના જ ફરી ફરી આ સંસારને પામે છે. [૧૨]
૧. આવશ્યક સૂત્રમાં, જે ક્ષત્રિય આરક્ષક (રખેવાળ) અને ઉગ્ર દંડ ધારણ કરનારા હતા, તે ઉગ્ર કહેવાતા હતા, એમ જણાવ્યું છે.
૨. એક પ્રસિદ્ધ ક્ષત્રિય વંશનું નામ છે. તેના વિષે સવિસ્તર, વન માટે જુઓ પુરાતત્ત્વ, પુત્ર ૧, પા. ૧૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org