________________
જુદાં જુદાં વિદને
ટિપ્પણ ટિ૫ણ નં. ૧ : નમિ રાજા અને ઇંદ્રને સંવાદ ઉતરાવ્યયનસૂત્ર અ. ૯ માં આવે છે. ત્યાં નમિને રાજર્ષિ કહેલા છે; તથા વિદેહ દેશના રાજા હેવાથી તે વૈદેહી પણ કહેવાય છે, એમ ટીકાકારે ત્યાં જણાવ્યું છે. દમાં નમિ ઋષિને ઇંદ્ર સહાય કર્યાનો ઉલ્લેખ છે. (મંડળ ૬. સૂ. ૨૦, સં. ૬). મહાભારતમાં અનુશાસન પર્વને ૧૪ મા અધ્યાયમાં “નિમિ” નામના “તપેધનને ઉલ્લેખ છે. ભાગવત ૯૧૩માં ઇફવાકુવંશીય નિમિ'નું વૃત્તાંત છે. તેને
ત્યાં વિદેહ, જનક, અને મિથિલ પણ કહ્યો છે. રામગુપ્તને ટીકાકાર રાજર્ષિ કહે છે. જેકોબી તે રામ હેવાનો તર્ક કરે છે. બાહુકનો ઉલ્લેખ મહાભારત (વન. ૭૩) માં નળના બીજા નામ તરીકે આવે છે. નારાયણને ટીકાકાર મહર્ષિ કહે છે. વિક્રમોર્વશીયમાં તેમનો ઉલ્લેખ છે. અસિત અને દેવલ એ બે નામો મહાભારતમાં તથા ગીતામાં એક સાથે આવે છે. ( આદિ. ૫૩-૮; સભા. ૪–૧૬; ૧૧-૨૪; શાંતિ. ૨૬-૫૨૮૧-૧; ગીતા અ. ૧૦-૧૩.) દેવલ સ્મૃતિમાં મહર્ષિ તરીકે તેમનું એકલાનું નામ પણ આવે છે. અસિત દેવલ એ એક જ નામ હોય એ સંભવ છે.
વ્યાસમુનિનું બીજું પ્રસિદ્ધ નામ તે દ્વૈપાયન. મહાભારત આદિ. ૬૪માં તેમની ઉત્પત્તિનું વર્ણન આવે છે. પારાશરની હકીકત મહાભારત આદિ. ૧૯૪માં વિગતવાર આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org