________________
સુભાષિત
૨૪૩ जइ वि य णिगणे किसे बरे, जइ वि य भुंजिय मासमंतसो। जे इह मायाइ मिजइ, आगंता गन्भाय पंतसो ॥
કોઈ ભલે નગ્નાવસ્થામાં વિચરે, કે મહિનાને અંતે એક વાર જ ખાય; પણ જે તે માયાયુક્ત હોય, તે તે વારંવાર ગર્ભવાસ પામવાનો. (૨-૧-૯)
पुरिसोरम पावकम्मुणा, पलियन्तं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया, मोहं जन्ति नरा असंवुडा ।।
હે મનુષ્ય ! પાપકર્મથી નિવૃત્ત થા. માણસનું જીવિત અલ્પ છે. જગતના પદાર્થોમાં આસક્ત અને કામગોમાં મૂછિત એવા અસંયમી લેકે મોહ પામ્યા જ કરે છે. (૨–૧–૧૦) ण य संखयमाहु जीवियं, तह वि य बालजणो पगब्भई । बाले पापेहि मिजई, इति संखाय मुणी ण मजई ।।
જીવિત ફરી સાંધી શકાય તેવું નથી એમ ડાહ્યા પુરુષ વારંવાર કહે છે, છતાં મૂઢ મનુષ્ય પૃષ્ટતાપૂર્વક પાપમાં મગ્ન રહ્યા કરે છે. એ જોઈ મુનિ પ્રમાદ ન કરે. (૨–૨–૨૧)
भहयं पलिगोव जाणिया, जा वि य वंदणपूयणा इहं। सुहुमे सल्ले दुरुद्धरे, विउमंता पयहिज संथवं ॥
આ જગતનાં વંદનપૂજનને' કાદવના ખાડા જેવાં જાણવાં. એ કાંટે બહુ સૂક્ષ્મ છે, તથા મહા મુશ્કેલીઓ કાઢી શકાય તેવો છે. માટે વિદ્વાને તેની સરસા ન જવું. (૨-૨-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org